મિત્રો આ મહાદેવનું મંદિર ઉજ્જૈન શહેરથી લગભગ એક કિલોમીટર દૂર મોક્ષદાયીની શિપ્રા નદીના સુંદર કિનારે આવેલું છે. જો વર્ષોથી તમારું દેવું પૂરું નથી થઈ રહ્યું અથવા તો તમે બેંક લોનથી પરેશાન છો તો તમારે આ મહાદેવના મંદિરમાં અવશ્ય આવવું
જોઈએ કારણકે અહીં એવી માન્યતા છે કે ભગવાન દરેક વ્યક્તિનું ઋણ અહીંયા માત્ર દર્શન કરવાથી માફ કરી દે છે.અહીં શનિવારના દિવસે ભક્તોની ખૂબ જ ભીડ હોય છે અને શનિવારે અહીં પૂજા નું વિશેષ મહત્વ છે અને દેશની પ્રાચીન નગરી ઉજ્જૈનમાં ઋણ મુક્તેશ્વર મહાદેવ વિશે એવું કહેવામાં આવે છે
કે જો તમારી માથે દેવું હોય તો તમારે હવે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે હવે તમને આ ભગવાન ભોળાનાથ તમારું દેવું દૂર કરી દેશે તમને રાહત આપશેઅહીં શનિવારે પીળી પૂજા નું ઘણું મહત્વ છે મતલબ કે પીળી પૂજામાં પેડા કપડામાં ચણાની દાળ પીળા ફૂલ અને હળદરને ગઠ્ઠો
અને થોડો ગોળ બાંધીને તેવો ઈચ્છા સાથે જળપ્રવામાં અર્પણ કરે છે અને ભગવાન શિવને ઋણ દૂર કરવા પ્રાર્થના કરે છે અને આપને જણાવી દઈએ કે આ મંદિરે દૂર દૂરથી ભક્તો આવે છે અને મહાકાલ બાબાના દર્શન કરવા આવે તે પણ આ મંદિરે આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment on "શું તમારી માથે દેવું છે? આ મહાદેવના મંદિરે દર્શન માત્રથી દેવાના બોજમાંથી થશો મુક્ત…"