પતિએ પોતાની પત્ની અને બાળકોનો કુહાડી વડે જીવ લઈ લીધો, પછી પોતાના મિત્ર સાથે મળીને ત્રણેયના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… હિંમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 12:48 pm, Mon, 23 January 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકો સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. મિત્રો આ ચોકાવનારા ઘટનામાં એક વ્યક્તિએ કુહાડી વડે પોતાની પત્ની અને બે બાળકોનો જીવ લઈ લીધો છે. ત્યારબાદ આરોપીએ ત્રણેયના મૃતદેહને ઘરમાં દફનાવી દીધા હતા. સમગ્ર ઘટનાને લઈને પડોશીઓને શંકા જતા તેમને પોલીસ ફરિયાદ કરી હતી.

ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને ખુલાસો થયો હતો. પછી પોલીસે ખોદકામ કરીને મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીએ શા માટે આવું કર્યું તેનું કારણ જાણીને તમે પણ હચમચી જશો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશના રતલામમાં બની હતી.

રતલામ જિલ્લાની વિંધ્યવાસિની કોલોનીમાં રહેતા 33 વર્ષીય સોનુ તલવાડી નામના વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. સોનુ રેલવેમાં ટિકિટ મેન છે. તેની પ્રથમ પત્નીથી છુટાછેડા પછી ભરણપોષણનો કેસ અને લીવ ઇન રિલેશનશિપમાં રહેતી તેની બીજી પત્ની સાથે વિવાદોથી પરેશાન થઈને સોનુએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. સૌપ્રથમ આરોપી સ્વામી કુહાડી વડે પોતાની કથિત પત્ની અને બે બાળકોનો જીવ લઈ લીધો.

ત્યારબાદ મજૂરો બોલાવીને ઘરના આંગણમાં ત્રણથી ચાર ફૂટ મોટો ખાડો ખોદાવ્યો હતો. ત્યારબાદ પોતાના મિત્ર બંટીની મદદથી ત્રણેયના મૃતદેહને ખાડામાં દાટી દીધા હતા અને ઉપર સિમેન્ટથી પ્લાસ્ટર કરી નાખ્યું હતું. મળતી માહિતી અનુસાર દોઢથી બે મહિના પહેલા આ ઘટના બની હતી. આરોપીઓના પડોશીઓના કારણે આ ઘટના સામે આવી છે.

ઘણા લાંબા સમયથી આરોપીની પત્ની અને બાળકો કોલોનીમાં જોવા ન મળ્યા તેથી પડોશીઓને શંકા ગઈ હતી અને તેમને પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને રવિવારના રોજ સોનુને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન સોનુ એ પોતાનો ગુનો કબુલ કર્યો હતો તેને કહ્યું હતું કે તેને પોતાની કથિત પત્ની નિશા, 7 વર્ષના દીકરા અમન અને 3 વર્ષની દીકરી ખુશી નો જીવ લઈને તેને ઘરના આંગણામાં દાટી દીધા હતા.

ત્યારબાદ પોલીસે સોનુના કીધા પ્રમાણે સાંજના સમયે ઘરના આંગણામાં ખોદકામ કરીને મૃત્યુ પામેલી પત્ની અને તેના બંને બાળકોના મૃતદેહને બહાર કાઢ્યું હતું. દોઢ મહિના જેટલો સમય વીતી જવાના કારણે ત્રણેયના મૃતદેહ ખૂબ જ વિકૃત થઈ ગયા હતા. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોટર માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે આરોપી સોનુના મિત્ર બંટીની પણ ધરપકડ કરી લીધી છે.

સોનુએ આ બધા પાછળ તેની પોતાની પ્રથમ પત્નીને જવાબદાર ગણાવી છે. 2012માં સોનુ અને તેની પ્રથમ પત્નીના છૂટાછેડા થઈ ગયા હતા. 2014માં સોનું નિશાન નામની મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. આ દરમિયાન નિશાળે એક દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર નિશા અને સોનુ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ઝઘડા ચાલી રહ્યા હતા. જે દિવસે આ ઘટના બની તે દિવસે બંને વચ્ચે ખૂબ ઉઘરા ઝઘડો થઈ ગયો હતો અને ગુસ્સામાં ભરાયેલા સોનુએ આ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિએ પોતાની પત્ની અને બાળકોનો કુહાડી વડે જીવ લઈ લીધો, પછી પોતાના મિત્ર સાથે મળીને ત્રણેયના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે… હિંમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*