શું ગુજરાતમાં અતિવૃષ્ટિ? ટીટોડીના ચાર ઈંડાના આધારે જાણો આ વર્ષે ચોમાસું કેવું રહેશે…

Published on: 5:09 pm, Thu, 2 May 24

હાલ રાજ્યભરમાં ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરમી પણ સતત વધી રહી છે અને ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોતા હોય છે અને લોકવાયકા અનુસાર ચોમાસુ અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસુ કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે

ત્યારે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટીટોડી એ ચાર ઈંડા મૂક્યા છે અને ટીટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મૂક્યા છે ત્યારે નિષ્ણાંતો કહી રહ્યા છે કે જો ટીટોડી ઉભા ઈંડા મૂકવામાં આવે તો સારો વરસાદ પડી શકે છે ત્યારે આ સમગ્ર બાબતે નિષ્ણાતો કહે છે

કે ટીટોડીએ જમીન પર ઈંડા મૂક્યા છે મતલબ કે વરસાદ મોડો આવશે.આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો વરસાદ કેવો આવશે તેની રાહ જોઈ રહ્યા છે ને ખાસ કરીને ખેડૂતો માટે વરસાદ ખૂબ જ મહત્વનો હોય છે

કારણ કે વરસાદ પરથી પોતાના પાકને લઈને તેઓ અપેક્ષા લગાવી શકતા હોય છે ત્યારે આ વખતે તો ટીટોડીએ સુરત શહેરના પરેડ ગ્રાઉન્ડમાં ઈંડા મૂક્યા છે અને આ ઈંડા પરથી સાબિત થાય છે કે વરસાદ ઓછો આવી શકે છે પરંતુ હાલમાં આવનારા સમયમાં ચોમાસાની સિઝનમાં ખબર પડશે કે આ કેટલી હદે સાચું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "શું ગુજરાતમાં અતિવૃષ્ટિ? ટીટોડીના ચાર ઈંડાના આધારે જાણો આ વર્ષે ચોમાસું કેવું રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*