પિતાએ નાનકડી એવી વાતમાં પોતાના 4 મહિનાના દીકરાનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…

Published on: 4:42 pm, Sun, 11 September 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાના ચાર મહિનાના માસુમ દીકરાનો જીવ લઈ લીધો છે. જીવ લેવાનું કારણ જાણીને તમને પણ ચક્કર આવી જશે. આ ઘટના ભોપાલમાં બની હતી. જીવ લેવા પાછળનું કારણ હતું કે, નશામાં ધૂત પતિ સાથે પત્નીએ રાતે ઘરે આવવાની ના પાડી દીધી હતી.

જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની પત્નીના ખોળામાંથી પોતાનો 4 મહિનાનો દીકરો ખેંચી લીધો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો. બાળકનો રડવાનો અવાજ બંધ થઈ જતા જ આરોપી પિતા ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ત્યારબાદ માતા માસુમ બાળકને હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર 2015માં સંગીતા નામની યુવતીના લગ્ન 30 વર્ષીય સંજુ વર્મા સાથે થયા હતા. રક્ષાબંધનના દિવસે સંગીતા તેના ચાર મહિનાના દીકરા આર્યન સાથે પિયરમાં ગઈ હતી. 8 સપ્ટેમ્બરના રોજ સંજુ પોતાની પત્ની અને દીકરાને લેવા સાસરિયાના ઘરે ગયો હતો. ત્યારબાદ તે ત્રણ દિવસ સુધી ત્યાં જ રહ્યો હતો. શનિવારના રોજ છ વાગ્યાની આસપાસ સંજુ નસાની હાલતમાં ઘરે આવ્યું હતું અને તેની પત્નીને ઘરે લઈ જવાની જીદ કરવા લાગ્યો હતો.

આ દરમિયાન તેની પત્નીએ તેને સમજાવ્યો કે, સાંજ પડી ગઈ છે સવારે નીકળી જઈશું. પરંતુ સંજુ ખૂબ જ નશામાં હોવાના કારણે તે કોઈની વાત સાંભળતો ન હતો અને ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો. ત્યારબાદ તે પોતાની પત્નીને ધમકાવવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો ઘરે ચાલ નહીં તરફ બાળકનો જીવ લઈ લઈશ.

ત્યારબાદ તેને પોતાની પત્ની સંગીતાના ખોળામાંથી પોતાના દીકરા આર્યનને આચકવાનું શરૂ કરી દીધું હતું. તેથી બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ ગઈ હતી. ત્યારે નશાની હાલતમાં સંજુએ પોતાના ચાર મહિનાના દીકરા આર્યનનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો.

આ ઘટના બન્યા બાદ સંજુ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. ત્યારબાદ આર્યનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ નાનકડી એવી વાતમાં પોતાના 4 મહિનાના દીકરાનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*