પતિએ દારૂના નશામાં પોતાની પત્ની અને બે બાળકોનો જીવ લઈ લીધો, પછી પતિએ કંઈક એવું પગલું ભર્યું કે… આખી ઘટના સાંભળીને તમારું કાળજુ કંપી ઉઠશે…

Published on: 5:52 pm, Tue, 7 February 23

મિત્રો રવિવારના રોજ બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્ની અને બે બાળકોનો જીવ લઈ લીધો અને ત્યારબાદ કંઈક એવું પગલું ભર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મળતી માહિતી અનુસાર પતિએ નશાની હાલતમાં આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

મોટી રાત્રે થયેલી તકરાર બાદ આરોપી પતિએ પોતાની પત્ની અને દીકરા-દીકરીના ગળા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને ત્રણેયનો જીવ લઈ લીધો હતો. ત્રણેયનો જીવ લીધા બાદ શરીરમાં હલનચલન ન થયું તેથી પતિ ખૂબ જ ગભરાઈ ગયો. ત્યારબાદ ત્રણેયના ઘા પર ડેટોલ લગાવી અને મલમ લગાવ્યું. પતિ એટલો નશામાં હતો કે તે સમજી જ ન શક્યો કે તે શું કરી રહ્યો છે અને ક્યારે તેની પત્ની અને બાળકોનું મૃત્યુ થઈ ગયું.

આ અચ મચાવી દેનારી ઘટના ગોરખપુરમાં રવિવારના રોજ બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ વહેલી સવારે જ્યારે પતિને હોશ આવ્યો ત્યારે તેને પોતાના કૃતિઓનો ખૂબ જ પસ્તાવો થયો. તેને ખબર જ ન રહી કે તેને નશાની હાલતમાં શું કરી નાખ્યું. પછી પતિએ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને પોતાના શરીરને આગ લગાવી દીધી હતી.

ઘરમાંથી ધુમાડો નીકળતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ ઘરનો દરવાજો તોડ્યો હતો. લોકો કાંઈ સમજે તે પહેલા તો પતિનું પણ મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસની સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, જે રૂમમાંથી મૃતદેહ મળ્યું ત્યાંથી ડેટોલની બોટલ, કપાસ અને કપડા પડેલા મળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે પત્ની અને બાળકો ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા બાદ આરોપી પતિએ દવા અને મલમ લગાવીને તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આ ઘટના બની ત્યારે પતિ નશાની હાલતમાં હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. સવારે 8:00 વાગ્યાની આસપાસ પડોશીઓએ ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ મેળવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાના દિવસે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થઈ ગયો હતો. પછી દશાની હાલતમાં આરોપીએ આ પગલું ભર્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિએ દારૂના નશામાં પોતાની પત્ની અને બે બાળકોનો જીવ લઈ લીધો, પછી પતિએ કંઈક એવું પગલું ભર્યું કે… આખી ઘટના સાંભળીને તમારું કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*