નવરાત્રિમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી,જાણો વિગતે

Published on: 10:06 am, Thu, 7 October 21

નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થવાની સ્થિતિ પર છે.નવરાત્રિમાં વરસાદનો કોઇ ખતરો રહેતો નથી.

હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર આજ થી એટલે કે 6 ઓક્ટોબરથી ચોમાસાની વિદાય ની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન સાથે ઉત્તર ગુજરાત લાગુ જિલ્લામાં ચોમાસાની વિદાય લીધી છે. આવનાર 15 દિવસમાં સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ લેશે.

ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચોમાસુ વિદાય લઇ લેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે.વેધર મોડેલો મુજબ આવનારા દિવસોમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ગુજરાતમાં 8,9,10 અને 11 તારીખ દરમ્યાન સામાન્યથી હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે.આજથી ફરી અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર,વાપી, વલસાડ, સુરત જેવા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવરાત્રિમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી મોટી આગાહી,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*