સુરતમાં 17 વર્ષના પટેલ પરિવારના એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું આ પગલું

Published on: 10:45 am, Sat, 11 December 21

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે સુરત શહેરની તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના છાપરાભાઠા વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીમાં ધોરણ 11માં સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ સાંજે 6 થી 9 વાગ્યાની વચ્ચે બની હોય શકે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે પરિવારના સાઢુભાઈ ત્યાં જમવા ગયું હતું.

પરત ફરતા દીકરો વિવેક નરેશભાઈ કાકડીયા ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર 17 વર્ષીય વિવેક હીરા ઘસવાનું કામ કરતો હતો અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

મળતી માહિતી અનુસાર વિવેક સાયન્સમાં અભ્યાસ કરતો હતો પરંતુ લોકડાઉન માં ફી ન ભરવાના કારણે તેનો અભ્યાસ છૂટી ગયો હતો. અભ્યાસથી એક વર્ષ દૂર રહેલો વિવેક ભણવા માગતો હતો. પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વિવેક આગળ ભણી શકે તેમ ન હતો.

એના કારણે તે માનસિક તણાવમાં આવી ગયો હતો. અને છેલ્લે વિવેક માનસિક તણાવમાં આવી ને પોતાનું જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું હતું. મળતી માહિતી અનુસાર વિવેકનું પરિવાર સાધુ ભાઈ ને ત્યાં જમવા ગયું હતું. ગુરૂવારના રોજ વિવેક ઘરે એકલો હતો.

જ્યારે રાત્રે પરિવાર ઘરે પાછું આવ્યું ત્યારે વિવેક દરવાજો ન ખોલ્યો. અને ત્યારબાદ રસોડાની બારીમાંથી ડોકાતી ને જોયું તો વિવેક મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ પરિવારે આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં 17 વર્ષના પટેલ પરિવારના એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું આ પગલું"

Leave a comment

Your email address will not be published.


*