માતાની વાતનું ખોટું લાગતા વલસાડમાં 15 વર્ષના બાળકને એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 3:26 pm, Wed, 20 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ ટુકાવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની નાની બાબતમાં આ પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના વલસાડથી સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ-9માં ભણતા એક વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર વલસાડ શહેર નજીક આવેલા શેઠીયા નગરના ઋષિકેશ એપાર્ટમેન્ટમાં માતા સાથે રહીને અભ્યાસ કરતા અને અબ્રામા BAPS સ્કૂલ ખાતે ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. મૃત્યુ પામેલા બાળકનું નામ જયનેશ હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી.

જયનેશે ગત સોમવારે શાળાએ જવાનું છોડીને ફ્રી ફાયર ગેમ રમવા લાગ્યો હતો. તેથી તેની માતાએ તેને જબરદસ્તી શાળાએ જવાનું કહ્યું હતું. માતાની આ વાતનું જયનેશને ખૂબ જ દુઃખ લાગી ગયું અને તેને ત્રીજા માળેથી મૃત્યુની છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત થયેલા બાળકને 108ના મારફતે નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર જયનેશને ફ્રી ફાયર ગેમ રમવાની લત લાગી ગઈ હતી. તાજેતરમાં જ વલસાડ શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોવાના કારણે શાળાઓ સાત દિવસ બંધ હતી.

આ દરમિયાન જયનેશ પોતાનો આખો દિવસ ગેમ રમીને કાઢતો હતો. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ શાળાઓ ઓફલાઈન શરૂ થઈ ગઈ હતી. સોમવારથી તે સ્કૂલે જવાની કરતો હતો. ત્યારે આજરોજ પણ તે સ્કૂલે જવાની આનાકાની કરતો હતો. ત્યારે તેની માતા તેને કડક શબ્દમાં સ્કૂલે જવાની સૂચના આપે છે.

જેને લઈને જયનેશ મન દુઃખ થયું હતું અને તેને ત્રીજા માળેથી મૃત્યુની છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ જયનેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ મૃતક બાળકના પરિવાર અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાની વાતનું ખોટું લાગતા વલસાડમાં 15 વર્ષના બાળકને એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*