અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, ઘટનાના દિવસે સવારે કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો કે…

Published on: 3:37 pm, Sat, 17 September 22

મિત્રો દિવસેને દિવસે ગુજરાતમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. અહીં રાણીપ વિસ્તારમાં જુના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન ડાભીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સાંજના સમયે ભાવનાબેન અને તેમના પતિ ભદ્રેશભાઈ ઘરે હતા. આ દરમિયાન ભદ્રેશભાઈ બેડરૂમમાં સુતા હતા. ત્યારે ભાવના બે ને ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે ભદ્રેશભાઈ રૂમમાંથી બહાર આવ્યા અને તેમને ડ્રોઈંગ રૂમમાં જોયું ત્યારે ભાવનાબેનનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

ત્યારબાદ ભદ્રેશભાઈ આ ઘટનાની જાણ રાણીપ પોલીસ સ્ટેશનને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને ભાવનાબેનના પતિની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને 52 વર્ષના પ્રવીણભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ભાવનાબેન ડાભી 2016 માં LRD તરીકે સુરતમાં ભરતી થઈ હતી.

હાલમાં ભાવનાબેન શાહીબાદ પોલીસ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલા ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ નામના વ્યક્તિ સાથે થયા હતા.  લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતમાં ઝઘડો ચાલતો હતો. જેનાથી કંટાળીને ભાવનાબેન આ પગલું ભર્યું કેવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસને ભાવનાબેન પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. મળતી માહિતી અનુસાર કોન્સ્ટેબલ પતિ પત્ની ઘટનાના પાંચ દિવસ પહેલા રજા લઈને પોતાના વતનએ ગયા હતા. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ સવારે ભાવનાબેન એ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી કે, તે આજે નોકરીએ આવવાના નથી.

ત્યારબાદ મોડી સાંજે સમાચાર મળ્યા હતા કે ભાવનાબેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. ભાવનાબેન એ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ભાવનાબેન ના પતિ ભદ્રેશભાઈનું નિવેદન લઈને આગળની કાર્યવાહી આ જ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, ઘટનાના દિવસે સવારે કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો કે…"

Leave a comment

Your email address will not be published.


*