પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે વિધાનસભા સુધી પહોંચવા માટે તેમની પરંપરાગત બેઠક ભવાનીપૂરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. મમતા બેનર્જી નો રસ્તો સાફ કરવા સીટીંગ ધારાસભ્ય શોભદેંબ ચટ્ટોપાધ્યાયે પદ પરથી રાજીનામું આપી દીધું છે.
અને તેમનું રાજીનામું તરત જ વિધાનસભાના અધ્યક્ષ બીમાન બેનર્જીએ સ્વીકાર્યું છે. તેમને પૂછ્યું કે તેઓ પોતે રાજીનામું આપી રહ્યા છે અને તેમના પર કોઈ પ્રકારનું દબાણ નથી. હું સંતુષ્ટ છું અને મેં રાજીનામું સ્વીકાર્યું છે. હર પેટાચૂંટણીમાં મમતા બેનર્જી મુકાબલામાં ઉતરી શકે છે અને વિધાનસભા નો માર્ગ નક્કી કરી શકે છે.
મમતા બેનર્જી અગાઉ પણ ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી છે પરંતુ આ વખતે તેને નંદીગ્રામ થી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. નંદીગ્રામમાં તેમણે તેમને પોતાના જૂના સીપેસાલાર અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
નંદીગ્રામ થી હાર્યા હોવા છતાં તેઓ મુખ્યમંત્રી બન્યા છે. આવી સ્થિતિમાં તેમને છ મહિનાની અંદર વિધાનસભાનું સભ્યપદ મેળવવાની રહેશે.
સીએમ મમતા બેનર્જી માટે વિધાનસભા છોડી દેવાના સવાલ પર શોભનદેબ ચટ્ટોપાધ્યાય કહ્યું કે આ પાર્ટી નો નિર્ણય છે અને હું તેમની સાથે છું.
બંગાળ સરકાર માં કૃષિ પ્રધાન ની જવાબદારી સંભાળી રહેલા શોભડદેબ ચટ્ટોપાધ્યાયે કહ્યું કે હું આજે ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે મારું પદ છોડવા જઈ રહ્યો છું. આ મારો નિર્ણય તેમજ પાર્ટીનો છે હું આ નિર્ણય થી એકદમ ખુશ છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "શું નંદીગ્રામમા હાર બાદ મમતા બેનર્જી લડશે વિધાનસભાની પેટા ચૂંટણી ? જાણો વિગતે."