ખાતર સબસીડી મા ખેડૂતોના ફાયદાની વાત મા શું છે અન્યાય, ખેડૂતોને પહેલા 1200 રૂપિયામા મળતી થેલીનો આજે છે આ ભાવ.

Published on: 4:49 pm, Fri, 21 May 21

મોદી સરકારે બુધવારે ડીએપી ખાતર ની સબસીડી વધારી ને 1200 રૂપિયા કરવાનો નિર્ણય લીધો તેને ભાજપના નેતા ઐતિહાસિક ગણાવીને સરકારની વાહવાહી કરી રહ્યા છે. સરકાર ખેડૂતોની હિતરક્ષક હોવાથી બહુ મોટી રાહત આપી હોવાના દાવા પણ થઈ રહ્યા છે.

કૃષિ નિષ્ણાંતોના મતે આ જાહેરાતમાં ઐતિહાસિક કશું નથી અને ખેડૂતોને રાહતની વાત સાથે છેતરામણી છે. ખેડૂતોને પેલા 1200 રૂપિયામા થેલી મળતી હતી.

અને હવે પણ 1200 રૂપિયામાં મળશે તેથી ખેડૂતોના પૈસા બચવાના નથી. અત્યારે ડીએપી ખાતર ના કાચા માલની કિંમત વધી છે.

પણ એક બે મહિના પછી થશે ત્યારે સરકાર સબસિડીની રકમ એટલી જ રાખીને ખેડૂતોને તેનો ફાયદો આપવાની નથી. ખાતર કંપનીઓ 1 એપ્રિલથી ભાવ વધારો કર્યો હતો તેથી બે મહિના તો તેમની ઊંચા ભાવ લીધા છે.

મોદી સરકારે આ નિર્ણય રાજકીય ફાયદા માટે લીધો છે અને કૃષિ કાયદાના કારણે નારાજ ખેડૂતો આંદોલન હજી પણ કરી રહ્યા છે. ખાતર નો ભાવ વધારો તમામ ખેડૂતોને અસર કરે તેથી આ આંદોલન રાષ્ટ્રીય બની જાય તેનો ડર સરકારને પહેલે થી જ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!મોદી સરકારે આ નિર્ણય રાજકીય ફાયદા માટે લીધો છે અને કૃષિ કાયદાના કારણે નારાજ ખેડૂતો આંદોલન હજી પણ કરી રહ્યા છે. ખાતર નો ભાવ વધારો તમામ ખેડૂતોને અસર કરે તેથી આ આંદોલન રાષ્ટ્રીય બની જાય તેનો ડર સરકારને પહેલે થી જ હતો.

Be the first to comment on "ખાતર સબસીડી મા ખેડૂતોના ફાયદાની વાત મા શું છે અન્યાય, ખેડૂતોને પહેલા 1200 રૂપિયામા મળતી થેલીનો આજે છે આ ભાવ."

Leave a comment

Your email address will not be published.


*