પંજાબમાં અરવિંદ કેજરીવાલ રમશે રાજનૈતિક રમત? કોંગ્રેસના દિગ્ગજ નેતા એ આમ આદમી પાર્ટીના કર્યા વખાણ…

Published on: 5:14 pm, Tue, 13 July 21

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત કરી રહી છે ત્યારે હવે પંજાબમાં પણ પોતાના ગઢ જમાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના નેતા નવજોત સીધું આ એક નિવેદનથી પંજાબમાં રાજકીય પક્ષો વચ્ચે હલચલ મચી ગઈ છે.

નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસથી નારાજ છે. ત્યારે નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ મારા વિઝન અને કામને ઓળખ્યું છે. ઉપરાંત તેમને જણાવ્યું કે આજે મેં જો પંજાબ મોડલ રજુ કર્યું છે, લોકો તેને ઓળખે છે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.

ઉપરાંત પંજાબમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ઘણા વિવાદ ચાલી રહ્યા છે. એવામાં નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદનથી પંજાબ માં રાજકીય ગરમાવો આવ્યું છે.

ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસ પાર્ટી અને પંજાબ સરકારમાં મહત્વનો હોદ્દો માંગે છે. ત્યારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ  નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કેબિનેટમાં સામેલ કરવા માંગતા નથી.

કે કોંગ્રેસ પાર્ટીના પંજાબના પ્રમુખ પણ બનાવવા માંગતા નથી. ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિન્દર સિંહ વચ્ચેની લડાઈ દિલ્હી સુધી પણ પહોંચી ચૂકી છે.

ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ પણ ત્રણ સભ્યોની સમિતિની રચના કરીને વિવાદોને ઉકેલ લાવવાની કોશિશ તો કરી છે. પરંતુ નવજોત સિંહ સિદ્ધુ પોતાની વાતે અડગ હોવાની વાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પંજાબમાં અરવિંદ કેજરીવાલ રમશે રાજનૈતિક રમત? કોંગ્રેસના દિગ્ગજ નેતા એ આમ આદમી પાર્ટીના કર્યા વખાણ…"

Leave a comment

Your email address will not be published.


*