પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો શા માટે ખાસ છે આ મુલાકાત…

Published on: 4:28 pm, Tue, 13 July 21

ગુજરાતમાં આગામી 6 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રવાસે આવવાના છે. જેના કારણે રાજ્યમાં હાલમાં ઘણી હલચલ મચી રહી છે. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠા ની મુલાકાત લેશે તેવી માહિતીઓ સામે આવી છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેરિયમ ખુલ્લો મૂકશે. તે ઉપરાંત ગાંધીનગરમાં રેલવે સ્ટેશન હોટલ નું પણ ઉદ્ઘાટન કરશે.

તેમજ વાવોલ-મહાત્મા મંદિર ને જોડતો અંડરપાસ પણ ખુલ્લો મૂકશે. આ ઉપરાંત તેઓ સુઇગામમાં પાકિસ્તાન સરહદ ની મુલાકાત લેશે.

જે દરમિયાન તેઓ બોર્ડર ટુરિઝમને લઈને પ્રોત્સાહન આપવાના છે. ઘણા લાંબા સમય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે જવાના છે. જેથી બનાસકાંઠામાં તેમના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ઉપરાંત થોડા દિવસો પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠા ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને બનાસકાંઠામાં થયેલા વિકાસના કામનું નિરીક્ષણ કર્યું હતું.

નડબેર વિકાસ થાય તે માટે રાજ્ય સરકારના પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારબાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે જઇને વિકાસના કામનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની કોરોના ની સ્થિતિ ની ચર્ચા કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો શા માટે ખાસ છે આ મુલાકાત…"

Leave a comment

Your email address will not be published.


*