પત્નીએ પતિને નશીલી દવા આપીને બેભાન કર્યો, ત્યાર બાદ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 6:14 pm, Tue, 17 May 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિવારના રોજ રાત્રે ધારદાર વસ્તુ વડે એક વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વ્યક્તિના મૃત્યુના કેસમાં પોલીસે 12 કલાક પછી સમગ્ર ઘટનાને લઇને મોટો ખુલાસો કર્યો છે.

આ સમગ્ર ઘટનામાં પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ઓમપ્રકાશ હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. જે દિવસે ઓમપ્રકાશનો જીવ લઈ લેવામાં આવ્યો તે દિવસે ઓમ પ્રકાશ અને તેની પત્ની રેશ્તાના લગ્નની પહેલી સાલગીરા હતી. બંનેના 15મી મેના રોજ લગ્ન થયા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે ઓમપ્રકાશની પત્ની રેશ્તાનું 30 વર્ષીય ધરમવીર નામના વ્યક્તિ સાથે અફેર હતું. પ્રેમસંબંધમાં ઓમપ્રકાશ અડચણરૂપ બની રહ્યો હતો. તેની રસ્તામાંથી સાઈડ કરવા માટે ઓમપ્રકાશની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને ઓમપ્રકાશનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર રેશ્તા અને ધરમવીર દૂરના સંબંધમાં કાકા અને ભત્રીજી થાય છે.

આ ઘટના બની ત્યારે ઓમપ્રકાશના પિતા પોતાના સંબંધીના ઘરે ગયા હતા. આ દરમિયાન ઓમપ્રકાશની રેશ્તાએ અને ધરમવીર ઓમ પ્રકાશનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે રાત્રે ઓમપ્રકાશ ઘરે જમવા આવ્યો ત્યારે રેશ્તાએ શાકમાં નશાની દવા ભેળવી દીધી હતી. જેના કારણે ભોજન કર્યા બાદ ઓમપ્રકાશ બેભાન થઈ ગયો હતો.

ત્યારબાદ રાત્રે રેશ્તાનો પ્રેમી ધરમવીર ઘરે આવ્યો અને ધારદાર વસ્તુ વડે ઓમપ્રકાશનો જીવ લઈ લીધો. આ ઘટના રવિવારના રોજ બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ સોમવારના રોજ સવારે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઓમપ્રકાશ મૃતદેહ ખાટલા પર મળી આવ્યું હતું. ત્યાર બાદ પોલીસને આ સમગ્ર પરિવારના સભ્યો પર શંકા ગયો હતો.

શંકાના આધારે પોલીસે મૃત્યુ પામેલા યુવાનના માતા અને ત્યારબાદ તેની પત્ની અલગ અલગ પૂછપરછ કરી હતી. એટલું જ નહીં પરંતુ પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલ ટીમને પણ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરવા માટે બોલાવી હતી. પોલીસને રસોડામાંથી નશીલા પદાર્થનું કાગળિયુ મળી આવ્યું હતું. તેથી પોલીસની શંકાઓ ખૂબ જ વધી ગઈ. મૃત્યુ પામેલા યુવાનની માતાએ જણાવ્યું કે સાંજે પુત્રવધુ ભોજન બનાવતી હતી.

જેના કારણે રેશ્તા પર શંકાઓ વધતી હતી. શંકાના આધારે પોલીસ દ્વારા રેશ્તાની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન રેશ્તાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને આ ગુનો તેને પોતાના પ્રેમી સાથે મળીને કર્યો છે તેવી કબુલાત કરી હતી. ત્યારબાદ પોલીસે પ્રેમી ધરમવીર ની પણ ધરપકડ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પત્નીએ પતિને નશીલી દવા આપીને બેભાન કર્યો, ત્યાર બાદ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*