પિતાની અસ્થિનું વિસર્જન કરીને હરિદ્વારથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અકસ્માત, 5 લોકોની અર્થી ઊઠતાં આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 5:43 pm, Tue, 17 May 22

હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના દિલ્હી-જયપુર હાઇવે પર બની હતી. આજરોજ વહેલી સવારે આ દર્દનાક અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર પરિવાર પિતાની અસ્થિઓનું વિસર્જન કર્યા બાદ હરિદ્વારથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો. અકસ્માતમાં 12 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. તેમાં 2 મહિલાનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર પરિવાર જયપુરનું રહેવાસી હતું. મળતી માહિતી અનુસાર પરિવાર 23 વર્ષ બાદ પિતાની અસ્થિ લઈને હરિદ્વાર ગયું હતું. પરિવાર ક્રુઝર કારમાં હરિદ્વાર ગયું હતું. પિતાની અસ્થિનું વિસર્જન કરીને પરિવાર જ્યારે પરત ફરી રહ્યું હતું.

ત્યારે રસ્તામાં સામેથી આવતા કન્ટેનર સાથે ક્રુઝર કાર અથડાઈ હતી આ કારણોસર ગંભીર અકસ્માત બન્યો હતો. અકસ્માતના પગલે 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઈજાગ્રસ્ત થયેલા લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા.

આ અકસ્માતની ઘટના લગભગ સવારે 6 વાગ્યાની આસપાસ દિલ્હી-જયપુર હાઇવે પર બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ક્રુઝર કાર ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ કારણોસર હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ કન્ટેનર ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરિવારના 5 સભ્યોના મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં 35 વર્ષીય ભાનુરામ, 33 વર્ષીય મહેન્દ્ર, 15 વર્ષીય આશિષ, 35 વર્ષીય સીમા દેવી અને 95 વર્ષીય ભોરી દેવીનું કરૂણ મૃત્યુ થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતાની અસ્થિનું વિસર્જન કરીને હરિદ્વારથી પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અકસ્માત, 5 લોકોની અર્થી ઊઠતાં આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*