સુરતમાં વરાછા વિસ્તારમાં વહુએ પોતાના સાસુનો જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના….

Published on: 2:44 pm, Mon, 11 April 22

સુરતના વરાછાના લંબે હનુમાન રોડ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નહીં એક પુત્રવધૂએ પોતાની જીવ લઈ લીધો છે. પુત્રવધુ મૂળ આસામની રહેવાસી છે. સાસુમાનું ગળું દબાવીને જીવ લઇ લીધો ત્યારબાદ ઘરને તાળું મારીને પુત્રવધુ આસામ ભાગી ગઈ હતી.

મળતી માહિતી મુજબ પતિએ 5:00 પત્ની અને તેના બે ભાઈઓ ને સુરત રેલ્વે સ્ટેશન પકડી પાડયા હતા અને પોલીસને સોંપી દીધા હતા. સંદીપ સરવૈયા નામનો વ્યક્તિ લંબે હનુમાન રોડ ઉપર આવેલી પરીમલ સોસાયટી માં રહે છે. સંદીપ એક રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. 1 વર્ષ પહેલા સંદીપ આસામની દીપિકા સાથે લગ્ન કર્યા હતા. મળતી માહિતી અનુસાર બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો.

તેથી સંદીપ પાંચ મહિના આસામ જઈને દીપિકા સાથે રહ્યો હતો અને ત્યાં તેણે દીપિકા સાથે લગ્ન કર્યા હતા. ત્યાંથી તે દીપિકાને લઇને સુરત આવી ગયો હતો. તેમને સંતાનમાં એક દીકરો છે. મળતી માહિતી મુજબ દીપિકાની સાથે તેના બંને ભાઈઓ પણ સુરત દીપિકાના ઘરે રહેવા લાગ્યા હતા.

શનિવારના રોજ રાત્રે સંદીપ નાઈટ પાળીમાં નોકરીમાં ગયો હતો. લગભગ ચાર વાગ્યાની આસપાસ સંદીપના પિતાનો તેના ફોનમાં ફોન આવે છે કે તારી મમ્મી ફોન ઉપાડતી નથી. તેથી સંદીપ સૌ પ્રથમ પોતાની મમ્મીને ફોન કર્યા ત્યારબાદ પોતાની પત્ની દીપિકાને ફોન કર્યા પરંતુ કોઇએ ફોન ઉપાડ્યો નહીં.

ત્યારબાદ સંદીપે પોતાના ઘરની પાસે રહેતા બનેવીને ફોન કરીને ઘરે જઈને તપાસ કરવાનું કહ્યું હતું. ત્યારે બનેવી ઘરની તપાસ કરવા ગયો અને સંદીપ ને ફોન કરીને કહ્યું કે અહીં ઘરની બહાર તાળું માર્યું છે. ત્યારબાદ સંદીપ સુરત રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં દીપીકા તેનો ભાઈ દિપાંકર અને નાનો ભાઈ મળી આવ્યા હતા.

ત્યારબાદ સંદીપ ઘરે આવે અને ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે ઘરમાંથી સંદીપની માતા વિમળાબેન મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ સંદીપભાઈ બંને આરોપીને વરાછા પોલીસને હવાલે કરી દીધા હતા. મળતી માહિતી મુજબ દિપીકા પોતાના ભાઈ સાથે આશ્રમ જવા માટે નીકળે છે ત્યારે વિમળાબેન તેમને આસામ જવાની ના પાડે છે. તેથી સાસુ અને વહુ વચ્ચે માથાકૂટ થાય છે. આ માથાકૂટમાં દીપિકા અને તેનો ભાઈ મળીને દીપિકાના સાસુ નો જીવ લઇ લે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં વરાછા વિસ્તારમાં વહુએ પોતાના સાસુનો જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…."

Leave a comment

Your email address will not be published.


*