બે દીકરાઓ માં વગરના થઈ ગયા : સોમનાથ દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, માતાનું મૃત્યુ…

Published on: 2:33 pm, Wed, 11 May 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં સોમનાથ થી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર પરિવારની કારને હાજીપરાના પાટીયા પાસે એક ટેન્કરે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર એક મહિલાનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે બે બાળકો સહિત ત્રણને ઈજા પહોંચી હતી. તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં રહેતા અને ભરત નગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હરદીપભાઈ હીફાભાઈ મકવાણાનો પરિવાર સોમનાથ મંદિરે દર્શન કરવા માટે ગયો હતો.

દર્શન કરીને પરિવાર ભાવનગર પરત ફરી રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે હાજીપરના પાટીયા પાસે GJ 06 BT 6755 નંબરના ટેન્કરે પરિવારની કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં હરદીપ ભાઇના પત્ની ભદ્રાબેનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે હાર્દિકભાઈ અને તેમના બે દીકરાઓને નાની-મોટી ઇજા પહોંચી છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભદ્રાબેનના મૃત્યુના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઇને તળાજા પોલીસે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતમાં ભદ્રા બેનના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બે બાળકોને માતા વગરના જોઈને પરિવારના લોકો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે દીકરાઓ માં વગરના થઈ ગયા : સોમનાથ દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, માતાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*