બે દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા : સુરતમાં અકસ્માતના દર્દીને સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં દર્દીનું કરૂણ મૃત્ય…

Published on: 4:08 pm, Thu, 7 April 22

સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં તબીબોની વિવિધ માંગણીઓને લઇને હડતાલ ચાલી રહી છે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું છે. પરિવારજનોનું કહેવું છે કે હડતાલના કારણે યોગ્ય સારવાર ન મળી આ કારણોસર કરૂણ મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ પલસાણા નજીક એક કાર ચાલકે 35 વર્ષીય શ્યામસુંદર નામના યુવકને અડફેટેમાં લીધો હતો. આ ઘટનામાં શ્યામસુંદર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાને લઇને શ્યામ સુંદરના ભાઈએ જણાવ્યું કે, જો સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાલના ચાલતી ન હોત, તો મારા ભાઈને યોગ્ય સારવાર મળી હોત અને તેનો જીવ બચી ગયો હોત. મળતી માહિતી અનુસાર સારવાર દરમિયાન શ્યામસુંદરનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

શ્યામસુંદરના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતાની છત્રછાયા ગુમાવતા બંને દીકરીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. શ્યામસુંદર ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મળતી માહિતી મુજબ જ્યારે તે કંપનીએ પોતાની નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યો હતો.

આ દરમિયાન તે રસ્તો ક્રોસ કરીને શાકભાજી લેવા જાય છે. ત્યારે GJ 05 RC 4995 નંબરના કારચાલકે શ્યામસુંદરને અડફેટેમાં લીધો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તેની સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

પરંતુ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળ હોવાના કારણે શ્યામસુંદરને સરખી સારવાર મળી નહીં. આ કારણોસર તેનું મૃત્યુ થયું છે આવું પરિવારજનોનું કહેવું છે. શ્યામ સુંદરના ભાઈએ જણાવ્યું કે જો ડોક્ટરોની હડતાળ ન ચાલતી હોત તો મારો ભાઈ અત્યારે જીવતો હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા : સુરતમાં અકસ્માતના દર્દીને સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં દર્દીનું કરૂણ મૃત્ય…"

Leave a comment

Your email address will not be published.


*