લગ્નના 20 દિવસ બાદ નદી કિનારે ફોટોશૂટ કરાવવા ગયેલા નવદંપતી સાથે બન્યું એવું કે, વરરાજાનું કરૂણ મૃત્યુ…

Published on: 3:45 pm, Thu, 7 April 22

તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જ્યાં પરિવારની ખુશી એક જ ક્ષણમાં શોકમાં ફેરવાઈ જાય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કેરળમાં લગ્ન પછી ફોટોશૂટ કરાવતી વખતે વરરાજાનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર એક નવદંપતીના લગ્નના 20 દિવસ જ થયા હતા. તે તેમના લગ્નને યાદગાર બનાવવા ઇચ્છતા હતા. પરંતુ લગ્નની પળો યાદગાર બને તે પહેલા તો વરરાજાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ દુઃખદાયક ઘટના કેરળમાં એક નદી કિનારે બની હતી.

અહીં નદી કિનારે ફોટોશૂટ કરાવતી વખતે અચાનક વરરાજાનો પગ લપસ્યો હતો અને તે નદીમાં પડી ગયો હતો. પાણીમાં ડૂબતા પતિને જોઈને પત્ની પતિને બચાવવા માટે ઊંડા પાણીમાં કૂદી પડી હતી. પરંતુ પાણીના જોરદાર પ્રવાહના કારણે પત્ની પણ પતિ સાથે પાણીમાં તણાવા લાગી હતી.

પરંતુ આસપાસ ઊભેલા લોકોએ પત્ની ને બચાવી લીધી હતી. આ ઘટનામાં વરરાજા નું કરૂણ મૃત્યુ થયું છે. હાલમાં કન્યા ની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. યુવક અને યુવતીના લગ્ન 14 માર્ચના રોજ થયા હતા.

લગ્નના 20 દિવસ બાદ તેઓ પોતાના લગ્નના પળોને યાદગાર બનાવવા માટે નદી કિનારે ફોટોશૂટ કરાવવા માટે ગયા હતા. ફોટોશૂટ કરાવતી વખતે આ ઘટના બની હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અર્થી ઉઠતા જ આખું પરિવાર હીબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 20 દિવસ બાદ નદી કિનારે ફોટોશૂટ કરાવવા ગયેલા નવદંપતી સાથે બન્યું એવું કે, વરરાજાનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*