બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા : હાઇવે પર બાઈક સ્લીપ થઈ જતા સર્જાયો અકસ્માત, બાઈક ચાલકનું મૃત્યુ…

Published on: 10:45 am, Tue, 11 January 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે નેશનલ હાઇવે 48ના મોતીવાડા બ્રિજ ઉપર એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં બે સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર પારડી શહેરમાં ચાર રસ્તા નજીક સ્ટેશન રોડ ભંડારી સ્ટ્રીટ ખાતે રહેતા રાજેન્દ્રભાઈ ઉત્તમભાઈ પટેલ સેલવાસ સરસ્વતી પોલીમાર કંપનીમાં નાઈટ શિપમાં ગયા હતા.

તેઓ રવિવારના રોજ પોતાની નાઈટ પૂરી કરીને નોકરી પરથી GJ 15 AR 6178 નંબરની પોતાની સ્પ્લેન્ડર બાઈક લઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે 48 ના મોતીવાડા બ્રિજ ઉપર તેમની બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગઈ હતી.

જેના કારણે રાજેન્દ્રભાઈ રોડ પર નીચે પડી ગયા હતા. ત્યારે પાછળથી આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે રાજેશભાઈને અડફેટેમાં લીધા હતા. અને વાહનો લઈને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ ઘટનામાં રાજેન્દ્ર ભાઈ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા તે કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ તેમના સંબંધીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

તેઓએ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પારડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા : હાઇવે પર બાઈક સ્લીપ થઈ જતા સર્જાયો અકસ્માત, બાઈક ચાલકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*