મિત્રો સાથે નર્મદા કેનાલમાં નાહવા ગયેલા યુવકનું કેનાલમાં ડૂબી જવાના કારણે કરુણ મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…સોલંકી પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 11:53 am, Mon, 12 December 22

હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે એક યુવકનું મોત થયું છે. મિત્રો કડી શહેરમાં આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. કડી શહેરના થોળ રોડ પર આવેલા માઇનોર કેનાલમાં નાહવા પડેલા એક યુવકનું કેનાલમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી તેને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ નગીરજસિંહ સોલંકી હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. કડી શહેરમાં રહેતા વિરેન્દ્રસિંહ સોલંકી જેઓ દેત્રોજ તાલુકાના સુજાતપૂરા ગામના રહેવાસી છે.

તેઓ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમનો એકનો એક દીકરો નગીરજસિંહ સોલંકી શનિવારના રોજ પોતાના મિત્રો સાથે સૌરાષ્ટ્ર કચ્છ તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ માંથી વિડજ તરફ જતી માઇનોર કેનાલમાં નાહવા માટે ગયો હતો. અહીં કેનાલમાં નાખી વખતે અચાનક જ નગીરજસિંહ પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું કરુણ મોત થયું હતું.

તેના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર નગીરજસિંહ પરિવારનો એકનો એક દીકરો હતો. એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. જ્યારે નગીરજસિંહ પોતાના મિત્ર સાથે કેનાલમાં નાહવા માટે ઉતરે છે ત્યારે તે અચાનક જ કેનાલના ઊંડા પાણીમાં ડૂબા લાગે છે.

પોતાના મિત્રને ડૂબતો જોઈને અન્ય મિત્રો બુમાબુમ કરે છે. આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા પરંતુ તેઓ નગીરજસિંહને બચાવી શક્યા નહીં. એક મિત્રએ આ ઘટનાની જાણ નગીરજસિંહના પિતાને કરી હતી. ઘટનાની માહિતી મળતા યુવકના પિતા સહિત તેનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ત્યારબાદ નગીરજસિંહને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. નગીરજસિંહનું મૃત્યુ થતા જ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો સાથે નર્મદા કેનાલમાં નાહવા ગયેલા યુવકનું કેનાલમાં ડૂબી જવાના કારણે કરુણ મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…સોલંકી પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*