વેપારીઓ ચેતી જજો..! સુરતમાં માત્ર 7000 રૂપિયા માટે ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા, પિતા-પુત્ર અને મામાનું મોત…ધોળકિયા પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 4:53 pm, Mon, 26 December 22

સુરત શહેરમાં ગઈકાલે એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર સુરતની જનતાને હચમચાવી દીધી હતી. સુરત શહેરમાં ગઈકાલે બે કારીગરોએ મળીને કારખાનાના માલિક, માલિકના પિતા અને મામાનો જીવ લઇ લીધો હતો. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર માત્ર 7000 રૂપિયાનો પગાર અને નોકરીમાંથી કાઢી નાખવાની બાબતમાં આરોપીઓએ હોય ત્રણ જણાનો જીવ લઈ લીધો હતો.

આ ઘટના સુરતના અમરોલીના વેદાંત ટેક્ષો એમ્બ્રોઈડરીના કારખાનામાં બની હતી. કારખાનામાં એક સગીર સહિત બે કારીગરોએ માલિક, તેના પિતા અને તેના મામાને મોતને ઘાટ ઉતાર્યા હતા. મળતી માહિતી અનુસાર બચાવવા આવેલા મામાને એક આરોપીએ પકડી રાખ્યો અને બીજાએ ધારદાર વસ્તુ વડે મામા ઉપર પ્રહાર કર્યા હતા.

મૃત્યુ પામેલા કલ્પેશભાઈ ધોળકિયા એમ્બ્રોઈડરીના કારખાનાના માલિક હતા. કલ્પેશભાઈ ના કારખાનામાં 10 દિવસથી આશિષ અને 17 વર્ષનો સગીર કારીગર તરીકે કામ કરતા હતા. રાત્રે મશીન ચાલુ રાખીશું એ રહેતા હોવાના કારણે સવારે કલ્પેશભાઈ આવીને બંનેને ઠપકો આપ્યો હતો અને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. બંને કારીગરોએ 10 દિવસના 3000 લેખે બંને કારીગરનો 7000નો પગાર માલિક પાસે માગ્યા હતા.

ત્યારે માલિકે પગાર આપવાની ના પાડી હતી અને બંનેની લાકડી વડે ધુલાઈ કરી હતી. ત્યારે બંને કારીગરોએ આ વાતનો ખાર લઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. બંને કારીગરોએ કારખાનામાં બેઠેલા કારખાનાના માલિક કલ્પેશભાઈ ધોળકિયા અને તેમના પિતાજી ધનજીભાઈ ધોળકિયા ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ બંને કારીગરોએ કલ્પેશભાઈ ના મામા ઘનશ્યામભાઈ રજોડીયા સાથે માથાકૂટ કરી હતી અને તેમનો પણ જીવ લઈ લીધો હતો.

બંને કારીગરો મામા ઉપર જીવલેણ પ્રહાર કરે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ ધોળકિયા પરિવાર અને રજોડીયા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા અને વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કલ્પેશભાઈ ના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કલ્પેશભાઈનો એક દીકરો ધોરણ 10માં અને બીજો દીકરો ધોરણ 12 માં અભ્યાસ કરે છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વેપારીઓ ચેતી જજો..! સુરતમાં માત્ર 7000 રૂપિયા માટે ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા, પિતા-પુત્ર અને મામાનું મોત…ધોળકિયા પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*