પ્રધાનમંત્રી મોદી આજરોજ પાકિસ્તાન અને ચીનને એકસાથે આપશે જડબાતોડ જવાબ, સમગ્ર દુનિયાની નજર

પ્રધાનમંત્રી મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરવાના છે.આ મહાસભામાં પ્રધાનમંત્રી મોદી વૈશ્વિક આતંકવાદ મુદ્દે સંબોધન કરી આંતકવાદને પ્રોત્સાહન આપતા દેશને જડબાતોડ જવાબ આપવામાં આવશે. કોરોના મહામારી ના કારણે પીએમ મોદીનું સંબોધન રેકોર્ડ કરી લેવામાં આવ્યું છે અને આ મહાસભા નું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 75 માં સત્ર ના સમયમાં ભારતની પ્રાથમિકતા આતંકવાદના વિરોધમાં કાર્યવાહીને વધારે મજબૂત કરવા પર જોર આપવાનું રહેશે.

આ મહાસભામાં સૌ પ્રથમ પ્રધાનમંત્રી મોદીનું સંબોધન થશે.જેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આપેલા નિવેદન બાદ પ્રધાનમંત્રી મોદી ના નિવેદન પર સમગ્ર દુનિયાની નજર છે. ઇમરાન ખાને યુએનમાં પ્રધાનમંત્રી મોદી, ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.ઇમરાન ખાને આ મહાસભામાં ફરિવાર જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

એ મહાસભા માં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતીય પ્રતિનિધિ ના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પોતાના ભાષણની શરૂઆત જ ભારતની વિરુદ્ધ બોલવાની કરી હતી. જેના વિરોધમાં ભારતીય પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના હોલમાંથી વોક આઉટ કરી ગયા હતા.

પાકિસ્તાનતરફથી ભારતની વિરુદ્ધ અપાયેલું નિવેદન તેમ જ કાશ્મીરના મુદ્દાને ઉલ્લેખ કરાતા જ ભારતીય પ્રતિનિધિ મંડળે ઈમરાન ખાનના ભાષણ નો બહિષ્કાર કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*