આજે સમસ્ત ગુજરાત આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અગ્રેસર થઈ રહ્યું છે : ઈસુદાન ગઢવી

Published on: 12:06 pm, Fri, 21 October 22

ભાજપ કિસાન મોરચાના ખંભાળિયા તાલુકાના ઉપપ્રમુખ મહેશદાન સરઠીયા આજે પોતાના 200થી પણ વધારે સમર્થકો સાથે આમ આદમીમાં જોડાયા છે. પોતાના વિસ્તારમાં ગોસેવક તરીકે અને પ્રજા સેવક તરીકે તેઓ છે અને તેઓ જનતાને કામ કરવા માટે ભાજપમાં જોડાયા હતા. ભાજપ તરફથી તેમને કોઈ પણ પ્રકારની મદદ મળી ન હતી.

એટલા માટે જ અમને ભાજપ માંથી રાજીનામું આપ્યું. તેઓને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીમાં રહીને તેઓ વધુમાં વધુ જનસેવા કરી શકશે એટલા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.મહેશ દાન સરથીયા ની સાથે સાથે વજાભાઈ હમીર ભરવાડ,મહેબુબભાઈ લંધા, કાનાભાઈ પરમાર અને અનિલ સોલંકી અને અમરાભાઇ ચાવડા અને

દલુભાઈ ગઢવી અને કરસનભાઈ નદાણીયા અને મારખી આંબલીયા અને મોમાયા ગઢવી સહિત 200થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતના તમામ સમાજના યુવાનો અરવિંદ કેજરીવાલની રાજનીતિથી પ્રભાવિત થઈને પોતાના સંપૂર્ણ જોશ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ફક્ત કહેતી નથી પરંતુ કામ કરીને બતાવે છે તેઓ દાવો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આજે સમસ્ત ગુજરાત આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અગ્રેસર થઈ રહ્યું છે : ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*