હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાના પરિવારના પાંચ સભ્યોનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના હરિયાણાના અંબાલા જિલ્લાના બલાના ગામમાં બની હતી. અહીં રહેતા એક યુવકે સૌપ્રથમ તેના માતા-પિતા, પત્ની અને બાળકોનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો.
આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર સુખવિંદર સિંહ નામનો એક યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આજરોજ તેની દીકરી આંશુનો જન્મદિવસ હતો. સવારે પરિવારના લોકો આંશુને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે ફોન કરી રહ્યા હતા.
પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. ઘણો સમય થઈ ગયો છતાં પણ કોઈએ ફોન ન ઉપાડ્યો તેથી પરિવારજનોએ પડોશીઓની ઘરે જઈને તપાસ કરવાનું કહ્યું હતું. જ્યારે ઘરે તપાસ કરવા માટે ગયા ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ ઘટનામાં 65 વર્ષીય સંગતરામ, તેમની પત્ની મહિન્દ્રો કોર, 34 વર્ષીય દીકરો સુખવિન્દર સિંહ, સુખવિંદરની પત્ની રીના, 5 વર્ષની દીકરી આંશુ અને 7 વર્ષના દીકરા જસમીતનું મૃતદેહ મળી આવ્યું હતું.
આ ઘટના બનતા જે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના 5 સભ્યોનું ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે.
જ્યારે સુખવિંદરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે. ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પરિવારના લોકો સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ તેવો આરોપ લગાડવામાં આવ્યો છે. સુખવિન્દરે સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, હું આજે મારા જીવનની છેલ્લી વાત લખી રહ્યો છું. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું મારા પરિવાર અને મિત્રોની માફી માંગુ છું.
મારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું છે. તેની પાછળ માત્ર બે લોકો જ જવાબદાર છે. જેમાં એકનું નામ બાલકિશન ઠાકોર અને બીજાનું નામ કવિ નિરાલા છે. બંને મારી પાસે બળજબરીપૂર્વક 10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે અને જો હું પૈસા નહીં આપું તો મને અને મારા પરિવારને નુકસાન પહોંચાડશે.
સુખવિન્દરે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું એક ગરીબ માણસ છું. બાલ કિસાન દરરોજ મને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે. મારા મિત્રો અને સંબંધીઓ જે પણ હોય તે બધાને હું વિનંતી કરું છું કે જો શક્ય હોય તો આરોપીઓ સામે યોગ્ય પગલાં ભરજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "આ યુવકે દીકરીના જન્મદિવસની આગલા દિવસે પોતાના પરિવારના 5 સભ્યોનો જીવ લઈ લીધો, ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો… એક સાથે 6 લોકોની અર્થી ઊઠી…"