સી.આર.પાટીલજીએ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ : ઈસુદાન ગઢવી

Published on: 4:26 pm, Fri, 26 August 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેકન્ડરી ઈશુદાન ગઢવીના માધ્યમથી જણાવ્યું કે આજે ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુજરાતની જનતાનો અપમાન કર્યું છે અને ફરીથી મફત મફત કરી ગુજરાતની જનતા જે હકો મેળવવા જોઈએ તે ન મળે તે માટેના ષડયંત્ર રચી રહ્યા છે તેઓ આક્ષેપ કર્યો હતો.

અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવે છે અને ખોટા વચનો આપે છે અને નોકરીઓના ખોટા વચનો આપે છે અને ચાઈનીઝ વચન આપે છે હું સીઆર પાટીલને એટલું જ કહીશ કે તમે હદ કરો છો કારણ કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરીને બતાવ્યા છે અને પંજાબમાં જે વાયદાઓ કર્યા હતા તે પૂરા કરીને બતાવ્યા છે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવી કે ગુજરાતમાં કેટલા કેટલા પેપરો ફૂટે છે તો શું એના માટે પણ એક જવાબદાર નેતા જેલમાં ગયા છે અને તમે નોકરીની લાલચની વાત કરો છો તો શું તમે જાણો છો ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં કેટલા પેપર ફૂટ્યા છે અને એ જે પેપર ફૂટ્યા છે એના માટે કયા મંત્રી કે નેતા જેલમાં ગયા. આજે તમે લોકોએ લાખો ઉમેદવારના ભવિષ્ય સાથે છેડા કર્યા છે તેઓ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.

વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે તમે વીજળી મફતમાં લો છો અને ભાજપના પેજ પ્રમુખને વીજળી મફતમાં મળે તો તમને પીડા થાય છે. તમે ભાજપના કાર્યકર્તાઓનો પણ વિરોધ કરો છો અને એ લોકોને કંઈ ન મળવું જોઈએ કેમ બધું તમને એકલા ને જ મળવું જોઈએ? સી આર પાટીલે જે ગુજરાતની જનતા પણ નિવેદન કર્યું છે જે જનતાનો અપમાન કર્યું છે હું સમજુ છું કે ગુજરાતની જનતાને સારું મળે તેનો માનસિક રીતે તમે વિરોધ કરો છો તેવો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સી.આર.પાટીલજીએ ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ : ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*