ગુજરાત રાજ્યમાં શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણ વિભાગના આ વ્યક્તિએ આપ્યું મહત્વનું નિવેદન જાણો વિગતવાર.

કોરોનાવાયરસ ના વધતા કેસ વચ્ચે ગુજરાત રાજ્યમાં સરકાર દિવાળી પછી શાળા શરૂ કરવા અંગે વિચારણા કરી રહી છે. આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે જણાવ્યું કે,શાળા ખોલવાની તાત્કાલિક કોઇ યોજના નથી અમે તાત્કાલિક શાળા નહીં ખોલીએ.કોરોના વાયરસના સંક્રમણની અંગે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી દિવાળી પછી શાળા ફરી શરૂ કરવાનું સરકાર દ્વારા વિચાર થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગ આ બાબતે વાલીઓને પ્રતિનિધિઓ અને શાળા સંગઠનો સાથે સંપર્કમાં છે.રાજ્ય સરકારે અગાઉ 21 સપ્ટેમ્બરે શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

કેન્દ્ર સરકારની sop અનુસાર વિદ્યાર્થીઓને શિક્ષકોનું માર્ગદર્શન મેળવવા માટે માતા-પિતાની મંજૂરી સાથે શાળાએ જવા ની છુટ આપવામાં આવી હતી.ગુજરાતના સેલ ફાઈનાન્સ શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાદે જણાવ્યું કે,ગુજરાતની કોરોના ની પરિસ્થિતિ ને કારણે ૧૫ ઓક્ટોબરથી સ્કૂલની ફરીથી ખોલવા માટે કેન્દ્રની માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી નથી.

ખાસ કરીને ધોરણ ૧૦ થી નીચે ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવી તે ઉતાવળનું પગલું કહેવાશે અને જો સરકાર અને શાળા અભ્યાસ શરૂ કરવા સંમત થાય તો પણ વાલીઓ બાળકોને શાળાએ મોકલવા સંમત થશે નહિ.

જોપરિસ્થિતિ ઓક્ટોબરમાં સુધરે તો નવેમ્બરમાં શાળાઓ ફરીથી કરવા સરકારની વિચારણા કરવામાં આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*