રાજ્ય સરકાર આ વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવાની કરી જાહેરાત, લાભ મેળવવા કરવું પડશે આ કાર્ય

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના નો કહેર ચાલી રહ્યો છે. કોરોના ના કપરા સમય દરમિયાન પોતાના પરિવારથી દૂર રહીને કામ કરતા સરકારી કર્મચારીઓના સંતાનોને 50 ટકા ફી માફી સહિતની સ્વાલંબન યોજના નો લાભ આપવા સરકારે ઠરાવ કર્યો છે. કર્મચારીઓના સંતાનોને આવક અને પર્સન્ટાઈલ ની કોઈ પણ મર્યાદા વગર આ યોજનાનો લાભ મેળવી શકશે.સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોરોના ના સમય દરમિયાન કામગીરીમાં ફરજ બજાવતી વખતે અવસાન પામેલા.

સરકારી કર્મચારીઓના સંતાનને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના નો લાભ આપવામાં આવશે. સરકાર દ્વારા કોરોના અન્વયે વિવેક ફરજ સોંપવામાં આવી છે ત્યારે કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો કર્મચારીઓથી માંડી સરકારી કર્મચારીઓ મૃત્યુ પામેલા છે.આ કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ આપવાની બાબતે સરકારની વિચારણા હેઠળ હતી.

દરખાસ્ત મંજૂર કરતા આ બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના કોઈપણ અભ્યાસક્રમ મુજબ સરકારી કર્મચારીઓના સંતાનને MYSY યોજના અંતર્ગત 50 ટકા ફી માફીનો લાભ મળશે.મહત્વની વાત એ છે કે, કોરોના થી મૃત્યુ પામેલા કે મૃત્યુ પામતા સરકારી કર્મચારી ના સંતાનો માન્ય પરીક્ષામાં પાસ થયા બાદ ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે.

ત્યારે MYSY યોજના અંતર્ગત આવક અને પર્સન્ટાઈલ ની મર્યાદા વગર લાભ આપવામાં આવશે.જોકે સહાય મેળવવા માટે સરકારી કર્મચારી જે વિભાગ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગના નાયબ સચિવ ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારી નું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*