ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવરાત્રી ને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો સમગ્ર માહિતી

Published on: 4:06 pm, Mon, 21 September 20

હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં નવરાત્રી યોજવા ને લઈને હાલમાં દરેક લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી માં નવરાત્રી યોજવા ને લઈને કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવરાત્રી યોજવાની મંજૂરી ન આપવામાં આવે તેવું જણાવ્યું છે.ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ની મહામારી નો પ્રકોપ હાલ યથાવત્ છે.

ત્યારે આગામી સમયમાં નવરાત્રી યોજવા ને લઈને અસમજણ ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ એ મહત્વનું નિવેદન આપ્યું છે.ભાજપપ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવરાત્રી અંગે નિવેદન આપતા કહ્યું કે સરકારે નવરાત્રી ની મંજૂરી આપવી જોઈએ નહીં.

જોકે કોરોના કાળમાં રાજ્ય નો પ્રવાસ ખેડી કાર્યકર સાથે ગરબે ઘૂમ્યા બાદ પાટીલ ભાઉ ને બ્રહ્મજ્ઞાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યની અંદર ગરબા આયોજકો અને સરકાર વચ્ચે અંગે ચર્ચા ચાલી રહી છે.

સી આર પાટીલ કહેવા મુજબ સરકાર દ્વારા ગરબા આયોજકોને પણ રજૂઆત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવરાત્રી ને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો સમગ્ર માહિતી"

Leave a comment

Your email address will not be published.


*