કૃષિ બિલની વિરોધમાં ખેડૂતો બન્યા હિંસક! મોદી ના પૂતળા અને ટ્રેક્ટરો સળગાવ્યા

Published on: 12:22 pm, Mon, 21 September 20

પંજાબમાં ખેડૂતોએ કેન્દ્રના બિલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સળગાવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી અનેક રોડ-રસ્તાઓ ને ખેડૂતે પોતાના કબજામાં લઇ લીધા હતા અને બ્લોક કરી દીધા હતા. આ વિરોધમાં ભારતીય કિસાન યુનિયન પણ જોડાયું હતું અને વિસ્તારોમાં મંદીના કમિશન એજન્ટો પણ ખેડૂતોની સાથે રસ્તા પર ઉતર્યા હતા.

કેન્દ્ર સરકાર ના કૃષિ બિલોના વિરુદ્ધ હવે હિંસક બનવા જઈ રહ્યો છે.હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશમાં ખેડૂતો વિફર્યા હતા અને ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા બાળ્યા હતા.કેટલાક વિસ્તારોમાં નારાજ ખેડૂતોએ સરકાર ની વાત ન સાંભળતા પોતાના ટેકટર પણ સળગાવ્યા હતા. હરિયાણામાં પોલીસે ખેડૂતો પર ફરી બળપ્રયોગ કર્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો.

આ વિરોધમાં હવે ભાજપના સાથી પક્ષ અકાલી દળ બાદ જનનાયક જનતા પાર્ટીના નેતાઓ પણ રસ્તા પર ઉતર્યા હતા.હરિયાણા સરકારે મોટા પાયે પોલીસો તેનાત કરી દીધી હતી.

અહીંના અંબાલા નેશનલ હાઇવેને ખેડૂતોએ બ્લોક કરી દીધો હતો.અંબાલાદિલ્હી અને ચંડીગઢ તરફ જતા હાઇવે પર ભારે ટ્રાફિક સર્જાઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કૃષિ બિલની વિરોધમાં ખેડૂતો બન્યા હિંસક! મોદી ના પૂતળા અને ટ્રેક્ટરો સળગાવ્યા"

Leave a comment

Your email address will not be published.


*