સુરત શહેરમાં નવરાત્રી ને લઈને SMC દ્વારા આ કાર્ય કરાતા સોસાયટીના પ્રમુખોએ કર્યો વિરોધ,જાણો વિગતે

Published on: 3:41 pm, Tue, 13 October 20

નવરાત્રિના આયોજનને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. નવરાત્રીના તહેવારમાં સોસાયટીના આયોજનની જવાબદારી ઓ પ્રમુખો ઉપર નાખવામાં આવી છે.સુરત શહેરના અલગ-અલગ સોસાયટીના પ્રમુખ મહાનગરપાલિકા પ્રત્યે રોષની લાગણી હાલમાં જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આવું ફરમાન જાહેર કરીને પોતાની જવાબદારીમાંથી છટકવા માગે છે તેવું સોસાયટીના પ્રમુખ કહી રહ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે,રાજ્ય સરકારના કહ્યા મુજબ સોસાયટીઓમાં આયોજન થાય.

તો તેની જવાબદારી રાજયોના પોલીસ અથવા તો મહાનગર પાલિકાના માથે હોય છે. પરંતુ,સુરત શહેરમાં મહાનગરપાલિકા પોતાની જવાબદારી માથે રાખવાની બદલે સોસાયટીઓના પ્રમુખના આ જવાબદારી સોંપી છે.સોસાયટી માં કોરોના ની માર્ગદર્શિકા નો અમલ તહેવારોમાં કરવામાં આવે અને તેનો અમલ થાય કે નહીં તે જોવાની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે પરંતુ, મહાનગરપાલિકા સુરત માં જવાબદારી લેવા માગતી ન હોય તેવું લાગી રહ્યું છે.

આ બાબતે સુરતની એક સોસાયટીના પ્રમુખે જણાવ્યું કે,આ બધા કાર્યક્રમો ની જવાબદારી પ્રમુખ ઉપર આવી જાય તો પ્રમુખ આ પ્રકારનું આયોજન શા માટે કરે?સોસાયટીમાં ઘણા બધા લોકો રહેતા હોય છે અને એટલા બધા લોકો માંથી જ સોસાયટીમાં નવરાત્રિનું આયોજન થાય.

અને કોઈ વ્યક્તિના સગા સંબંધી અન્ય વ્યક્તિ રમવા આવે અને તે સક્રિય હોય અને તેના કારણે સોસાયટીમાં કોરોના નું સંક્રમણ વધે એ બાબત શા માટે પ્રમુખ સંક્રમણ ની જવાબદારી પોતાના પર લે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં નવરાત્રી ને લઈને SMC દ્વારા આ કાર્ય કરાતા સોસાયટીના પ્રમુખોએ કર્યો વિરોધ,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*