ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી આ કારણોસર 16 વર્ષ બાદ રંગીલુ રાજકોટ છોડીને અમદાવાદ રહેવા ચાલ્યા ગયા, કારણ જાણીને તમે પણ ચોકી જશો…

Published on: 10:58 am, Sat, 10 September 22

મિત્રો આપણને બધાને ખબર છે કે હવે ગુજરાતના અનેક લોકપ્રિય કલાકારો ગુજરાત છોડીને મુંબઈમાં રહેવા ચાલ્યા ગયા છે. જ્યારે બાકીના અન્ય કલાકારો પોતાનું વતન છોડીને અમદાવાદ રહેવા ચાલ્યા ગયા છે. અમદાવાદને કલાકારોની દુનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી 16 વર્ષ બાદ રંગીલુ રાજકોટ છોડીને અમદાવાદમાં રહેવા ચાલ્યા ગયા છે.

કિર્તીદાન ગઢવીનું રાજકોટ છોડવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો. મિત્રો સૂત્ર અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતના જાણીતા લોક કલાકાર કિર્તીદાન ગઢવી છેલ્લા બે મહિનાથી અમદાવાદ રહેવા આવી ગયા છે. અમદાવાદથી તેમને આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ બને તે માટે કિર્તીદાન ગઢવી રંગીલુ રાજકોટ છોડીને અમદાવાદ રહેવા આવ્યા છે.

બીજી ખાસ એક વાત કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પણ અમદાવાદમાં છે. આ કારણોસર કિર્તીદાન ગઢવી ને અમદાવાદમાં કામ કરવું સરળ પડે તે માટે તેમને અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યું છે. રાજકોટની સરખામણીમાં કિર્તીદાન ગઢવીને અમદાવાદથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ પડે છે તે માટે તેઓ અમદાવાદ રહેવા આવી ગયા છે.

સૂત્ર અનુસાર જાણવા મળી રહ્યું છે કે કિર્તીદાન ગઢવીએ કહ્યું હતું કે, મેં મારી જિંદગીના 16 વર્ષ રાજકોટમાં વિતાવ્યા છે. કિર્તીદાન ગઢવીએ કહ્યું કે રાજકોટની સરખામણીમાં અમદાવાદમાં જીવનમાં ભાગદોડ વધારે છે. સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકો, પ્રેમ અને તેનું ફ્રૂડ હું ખૂબ જ યાદ કરું છું. કિર્તીદાન ગઢવીએ કહ્યું કે, અમદાવાદના લોકો પણ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા જીવનમાં આવેલું નવું પરિવર્તન મને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. મને જ્યારે સમય મળશે ત્યારે હવે હું રાજકોટની મુલાકાત લઈશ.

રાજકોટમાં કિર્તીદાન ગઢવીનું ઘર આવેલું છે અને તેમના ઘરનું નામ ‘સ્વર’ છે. કિર્તીદાન ગઢવીના ધરમાં તમામ આધુનિક સુવિધાઓ છે. ફેબ્રુઆરી 2016માં કિર્તીદાન ગઢવી પોતાના નવા ઘરના ગૃહપ્રવેશમાં સંતો અને મહંતોને આમંત્રણ આપ્યું હતું અને તેમના આશીર્વાદ લીધા હતા. કિર્તીદાન ગઢવીના ઘરની ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષિત કરી દે તેવી છે.

તેમના ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન રાજકોટ શહેરના ઇન્ટિરિયર ડિઝાઇનર દર્શન પરમાર દ્વારા કરવામાં આવી છે. હાલમાં તેઓ 16 વર્ષ બાદ રાજકોટ છોડીને હવે અમદાવાદમાં રહેવા લાગ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે થોડાક દિવસોમાં જ કિર્તીદાન ગઢવી પ્રી-નવરાત્રી માટે યુએસ જોવાના છે. નવરાત્રિના સમયે તેઓ ગુજરાતના અમદાવાદમાં આવી જશે. પહેલીવાર કિર્તીદાન ગઢવી અમદાવાદમાં નવરાત્રીની ઉજવણી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી આ કારણોસર 16 વર્ષ બાદ રંગીલુ રાજકોટ છોડીને અમદાવાદ રહેવા ચાલ્યા ગયા, કારણ જાણીને તમે પણ ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*