સુરતમાં ભાજપ માં પડ્યો ખાડો, ભાજપના દિગ્ગજ નેતા પોતાના 200 કાર્યકર્તાઓ સાથે જોડાયા AAPમાં…

Published on: 4:02 pm, Tue, 17 August 21

ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા અને ભાજપને આ વખતે આમ આદમી પાર્ટી જબરદસ્ત ટક્કર આપી શકે છે.

હવામાન વિભાગ ની વાત કરે જાણવાની પાર્ટીમાં પત્રકાર ઈશુદાન ગઢવી, સામાજિક અગ્રણી મહેશ સવાણી અને આંદોલનકારી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે હવે ફરી એક વખત દોઢ દાયકાથી ભાજપમાં સક્રિય એવા ભીખાભાઈ લખાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

અને તેઓ પોતાના 200 કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ સુરતમાં પૂર્વ અં.વોર્ડ નંબર 3 અને કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણી ના નામે ઓળખાતા વેપારી એવા ભીખાભાઈ લખાણી આજરોજ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીની હાજરીમાં આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

આ ઉપરાંત ભીખાભાઈ લખાણ એની સાથે બસ્સો કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભીખાભાઈ લખાણી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીક ગણાતા હતા.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફ લોકો આવી રહ્યા છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ, શહેરોમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

આ ઉપરાંત કહ્યું કે મને આશા છે કે હજુ પણ આગામી દિવસોમાં સમાજના અગ્રણી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં ભાજપ માં પડ્યો ખાડો, ભાજપના દિગ્ગજ નેતા પોતાના 200 કાર્યકર્તાઓ સાથે જોડાયા AAPમાં…"

Leave a comment

Your email address will not be published.


*