બે વાવાઝોડાના સંકટ બાદ ચોમાસા ને લઈને હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતો માટે જાણવું જરૂરી.

Published on: 10:27 am, Fri, 28 May 21

તાઉતે અને યાસ નામના બે વાવાઝોડા પસાર થયા બાદ હવે ચોમાસાની રાહ જોવાઇ રહી છે. ચોમાસાની ઉત્તરીય સીમા કોમોરીન સમુદ્ર પર પહોંચી ગઇ છે. હવામાન વિભાગના અંદાજ છે કે તે આગામી બે-ત્રણ દિવસમાં કેરળના દરિયા કિનારે પહોંચશે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે કહ્યું છે કે ચોમાસુ 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે. કેરળમાં ચોમાસુ પહોંચવાની સામાન્ય તારીખ 1 જૂન છે પરંતુ હવામાન વિભાગે આગાહી કરી હતી કે 31 મે ના રોજ કેરળ પહોંચશે.

જોકે આ તારીખ માં 3-4 દિવસ માં ફેરફાર પણ થઈ શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ 30 મે ની આગાહી કરી હતી કે બે દિવસ આગળ પાછળ થઈ શકે છે અને ચોમાસુ તેની સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે.

અંદમાન નિકોબાર ટાપુઓ પર 21 મે ના રોજ તેની નિયત તારીખ પર પહોંચ્યા બાદ તે ઉત્તર-પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહ્યુ છે. 24મે ના રોજ શ્રીલંકા ના દક્ષિણ કાંઠે પહોંચ્યુ હતું અને દિવસમાં શ્રીલંકાના ઉત્તરી સીમાએ પહોંચી ગયું છે. ગુરુવારે ચોમાસુ માલદીવને પણ પાર કરી ગયું છે.

ચોમાસાની ઉત્તરીય સીમા કેરળના દરિયાકાંઠે થી માત્ર 200 કિલોમીટર દૂર છે. તે વાવાઝોડા પસાર થવા દરમિયાન અને પછી કેરળમાં ભારે વરસાદ થયો છે. આ અઠવાડિયાની શરૂઆત થી કેરળ ના દરિયાકાંઠા ના વિસ્તારો માં ભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ તે ગુરુવાર થી ઘટવાનું શરૂ થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે વાવાઝોડાના સંકટ બાદ ચોમાસા ને લઈને હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતો માટે જાણવું જરૂરી."

Leave a comment

Your email address will not be published.


*