સૌરાષ્ટ્રમાં 49 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન… હસતા-ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ…

Published on: 5:31 pm, Sat, 28 October 23

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. રાજ્યમાં કોરોનાની મહામારી બાદ મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા હતા. ત્યારે છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં બાળકો અને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.

ખાસ કરીને સુરત અને રાજકોટમાં હાર્ટ એટેકના બનાવો વધુ પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક ઘટના સામે આવી રહી છે. સૌરાષ્ટ્રમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરાના 49 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સંજયભાઈ પીપરોતર હતું. સંજયભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે.

સંજયભાઈ પોતાના પરિવાર સાથે ખૂબ જ શાંતિમાં પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. તેવામાં અચાનક જ તેમનું હાર્ટ એટેક આવતા મોત થતા હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગયેલ છે. આજે માં સતત વધતી જતી હાર્ટ એટેક ની ઘટનાના કારણે હવે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સૌરાષ્ટ્રમાં 49 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન… હસતા-ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*