તહેવારો ને લઈને રાજ્યની રૂપાણી સરકારનો અંતિમ નિર્ણય, માર્ગદર્શિકા કરવામાં આવી તૈયાર

કોરોનાવાયરસ ના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્યની રૂપાણી સરકારે પણ રાજ્યમાં નવરાત્રી દશેરા દિવાળી પર્વને લઇને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં આવે કોઈપણ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન નહીં કરવા આદેશ કરવામાં આવ્યો છે, જોકે શેરી, પોળ, ગામડામાં પરંપરાગત ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે. કોરોનાવાયરસ ની મહામારીને કારણસર મૂર્તિનું ચરણસ્પર્શ કે પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં.

આ માટે ફરજિયાત પણે સ્થાનિક તંત્રની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ ગુજરાત સરકારે પણ આજરોજ આગામી તહેવારો ને લઈને માર્ગદર્શિકા તૈયાર કરીને જાહેર કરવામાં આવી છે.કરણ ને કારણે આ વર્ષે તહેવારોમાં ખૂબ જ નિયમોનું પાલન કરવું પડશે.

એક કલાકના કાર્યક્રમમાં 200 થી પણ વધુ લોકો. એકત્રિત કરી  શકાશે નહીં.જો સરકાર ના નિયમો નું પાલન કરવામાં નહીં આવે.

તો નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*