રાજ્યની ભુપેન્દ્ર સરકાર આવી એક્શનમાં,ગુજરાતમાં વીજચોરી કરતા લોકો ચેતી જજો નહીંતર…

Published on: 7:39 am, Tue, 9 November 21

ગુજરાતમાં અનેકવાર વીજચોરીની ઘટના સામે આવતી હોય છે.વીજચોરી ને કારણે દર વર્ષે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે ત્યારે આવી વીજચોરીને અટકાવવા હવે રાજ્ય સરકારે કેન્દ્રની નવી યોજનાનો અમલ કરવાનું વિચારી રહી છે.

આ યોજનાને લઈને ગુજરાત સરકારે તૈયારી દર્શાવી છે જેથી હવે એક યુનિટ ની પણ વીજચોરી થશે તો વીજચોરી ની જગ્યા નું લોકેશન સહિતની માહિતી કંપનીને તાત્કાલિક જાણ થઈ જશે.

રાજ્યમાં નવા નવા વીજ ચોરીની ઘટનાઓ બનતી હોય છે જેને લઇને વીજ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરતા તેમની ઉપર ઘણા બધા અલગ અલગ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે.

આ બનાવને લઇને રાજ્ય સરકાર વીજચોરીને ડામવા નવી યોજના અમલ કરવા જઈ રહી છે.કેન્દ્ર સરકારની સ્કાડા નામની યોજના હવે ગુજરાતમાં પણ અમલી બનશે,

જેના માટે રાજ્ય સરકારે તૈયારી પણ દર્શાવી છે.આ યોજના ઉર્જા વિભાગ ની ચાર કંપનીમાં લાગુ થશે. આ યોજના તમામ વીજ મીટર બદલાશે તે બાદ 1 યુનીટ ની વીજચોરી થશે તો પણ પકડાય જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની ભુપેન્દ્ર સરકાર આવી એક્શનમાં,ગુજરાતમાં વીજચોરી કરતા લોકો ચેતી જજો નહીંતર…"

Leave a comment

Your email address will not be published.


*