સ્વિમિંગ પુલમાં તરતી વખતે બાળકનું થયું અચાનક મૃત્યુ, જાણો શું છે મૃત્યુ નું કારણ…

Published on: 5:31 pm, Mon, 9 August 21

આજકાલ અવારનવાર બનાવો બની રહ્યા છે તેવામાં પાણીમાં ડુબવા બનાવોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે તેઓ જ એક બનાવ સામે આવ્યો છે આ સમગ્ર ઘટના રાજકોટની છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સ્વિમિંગ પુલમાં એક દુઃખદ ઘટના બની છે.

મળતી માહિતી મુજબ તરૂણ નામનો એક બાળક પાણીની મજા લઇ રહ્યો હતો તેનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના બનતા સ્વિમિંગ પુલિંગ સ્ટાફ દોડતો થઇ ગયો છે. તરુણનું મૃત્યુ થવાથી તેના પરિવારમાં શોકનું મોજુ વળી ઉઠયું હતું.

સમગ્ર ઘટના એ છે કે જ્યારે તરુણ સ્વિમિંગ-પુલની મજા માણી રહ્યો હતો ત્યારે એર ટ્યુબ નીકળી ગઈ છે જેના કારણે તરુણનું મૃત્યુ થયું છે તેવી માહિતી ઓ સામે આવી છે.

મળતી માહિતી મુજબ આ બાળક પર જ્યારે આસપાસના લોકોની નજર પડી ત્યારે લોકોએ બને તેટલું જલ્દી યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ સારવાર દરમ્યાન બાળકનું મૃત્યુ થયું હતું જેના કારણે તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું. આ સમગ્ર ઘટનામાં એવું બન્યું કે બાળક જ્યારે સ્પેલિંગ સ્કૂલમાં જાય છે ત્યારે ક્લબ ઓથોરિટી નો કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર ન હતો.

આ ઉપરાંત જ્યારે બાળક એકલો સ્વિમિંગ પુલમાં ગયો ત્યારે તેના પરિવારે તેની કાળજી શા માટે ન રાખી. આ સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધ્યો ત્યાર બાદ આગળની કાર્યવાહી આરંભી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સ્વિમિંગ પુલમાં તરતી વખતે બાળકનું થયું અચાનક મૃત્યુ, જાણો શું છે મૃત્યુ નું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*