માં મોગલનું નામ લેવાથી આ વ્યક્તિનું ઘણા સમયથી અટકેલું કામ પૂરું થઈ ગયું, માનતા પૂરી કરવા માતાજીના ચરણમાં 31131 રૂપિયા અર્પણ કરવા પહોંચ્યા, પરંતુ…

Published on: 6:23 pm, Fri, 29 April 22

ભક્તોના દુઃખ દૂર કરનારી અને મનોકામના પૂર્ણ કરનારી એવી માં મોગલ કે જેના પરચા અપરંપાર છે. અને આપણે જાણીએ છીએ કે તે ભગુડામાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. અને તેના દર્શન માત્રથી બધા લોકોના દુઃખ દૂર થાય છે. અને મનોકામના પણ પૂર્ણ થાય છે. માં મોગલ કબરાઉ સ્થિત આવેલા મોગલ ધામમાં સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતા નથી. અને અહીં માં મોગલની માનતા માની માનતા માં મોગલ પૂર્ણ કરે છે. ત્યારે એવો જ એક કિસ્સો અહીંથી સામે આવ્યો છે કે જ્યાં એક યુવકે 31131 રૂપિયા લઈને પોતાની માનતા પૂર્ણ કરવા આવ્યો હતો. કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામમાં મણીધર બાપુ પણ બિરાજમાન છે.

ત્યારે આ યુવકે 31131 રૂપિયા મણીધર બાપુ ને આપ્યા આશીર્વાદ લીધા, ત્યારે યુવકે કહ્યું કે બાપુ અમારી માનતા પુર્ણ થઈ હતી અને તે તમે સ્વીકારો. મણીધર બાપુએ આ યુવકને પૂછ્યું કે શેની માનતા માની હતી. ત્યારે યુવક દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી એક કામ રાખ્યું હતું.

અને ઘણા સમયથી એમ જ પડ્યું હોવાથી આખો દિવસ તેની જ ચિંતામાં હતો. તેથી મેં તેનું નિવારણ લાવવા માટે માં મોગલને માનતા માની હતી અને તેણે થોડાક જ દિવસોમાં કામ પૂરું કરી બતાવ્યું. તેથી હું એ કામ પૂર્ણ થતાંની સાથે જ માનતા પૂર્ણ કરવા આવ્યો છું. ત્યારે આ યુવકની સમસ્યા દૂર થઈ ગઈ અને યુવક ખુશખુશાલ થઇને માં મોગલના દર્શન કરવા આવ્યો હતો.

અને તેની મનોકામના પૂર્ણ થતાં કબરાઉ મોગલધામ એ બિરાજમાન મણીધર બાપુએ યુવક અને આશીર્વાદ આપ્યા અને એ પૈસા માં હજુ એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે આ પૈસા તો તારી દીકરીને આપજે. માં મોગલ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. એને કોઈ સોનું, ચાંદી કે દાનની જરૂર નથી.

જો માં મોગલ ને આસ્થા અને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે અને પરચા બતાવ્યા કરે છે. ત્યારે કહેવાય છે કે જ્યારે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. એતો અપરંપાર છે જય મોગલ માં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં મોગલનું નામ લેવાથી આ વ્યક્તિનું ઘણા સમયથી અટકેલું કામ પૂરું થઈ ગયું, માનતા પૂરી કરવા માતાજીના ચરણમાં 31131 રૂપિયા અર્પણ કરવા પહોંચ્યા, પરંતુ…"

Leave a comment

Your email address will not be published.


*