માથે દેવું થઈ જતા હીરાના વેપારીએ ગઢડાના કાળુભાર ડેમમાં કૂદીને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામે આવેલા કાળુભાર ડેમમાં કૂદીને એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુસાઇડ કરનાર વ્યક્તિ હીરાના વેપારી હતા. તેઓ ભાવનગરમાં પોપટની વાડીમાં રહેતા હતા. દેવું વધી જતા ગઈકાલે હીરાના વેપારીએ કાળુભાર ડેમમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

સુસાઇડ કરનાર વ્યક્તિનું નામ લશ્કર નાગજીભાઈ મકવાણા હતું. તેઓએ પોતાના પરિવારજનોને ફોનમાં જાણ કરી હતી કે તેઓ સુસાઇડ કરી રહ્યા છે. તેમને ગઈકાલે મોદી સાંજના સમયે કાળુભાર ડેમમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અને ગઢડા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ કાળુભાર ડેમ પાસે પહોંચી આવી હતી અને ડેમમાં કુદેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી હતી.

ત્યારે આજરોજ સવારે તેમનું મૃતદેહ મળી આવ્યું હતું. મૃતદેહ મળ્યા બાદ તેમના મૃતદેહને પોસ્ટમોટમ માટે ગઢડાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ વાત ના સમાચાર મળતા જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યો ગઢડાની હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસે અહીં મૃત્યુ પામેલા વ્યક્તિના દીકરાનું નિવેદન લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા વ્યક્તિને હીરાના ધંધામાં ખોટ જતા તેમને દેવું થઈ ગયું હતું.

મૃત્યુ પામેલા વ્યક્તિના દીકરાનું કહેવું છે કે, ભાવનગરના કેટલાક લોકો પૈસાની બાબતમાં તેમના પિતાને સતત ધાકધમકીઓ આપતા હતા. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*