વડોદરાની MS યુનિવર્સિટીમાં LLBનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… સુસાઈડનું કારણ અકબંધ…

વડોદરામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોમાં LLBના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થી ફતેગંજ વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતો હતો, તેને અહીં જ સુસાઇડ કર્યું છે.

આ ઘટનાની જાણ થતા જ ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ગઈકાલે બની હતી.

વિગતવાર વાત કરીએ તો મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી પ્રીતમ ચૌહાણ નામનો યુવક વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ગોલ્ફ વ્યુ એવન્યુમાં રહેતો હતો અને તે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે રાત્રે તેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ હાથ ધરી હતી. મૃત્યુ પામેલા યુવક પાસેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. તેને કયા કારણોસર સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું એની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.

આ ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા પ્રીતમના પરિવારજનો અને મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મિત્રોને પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*