ગુજરાત રાજ્યના ચાર શહેરોમાં કરફ્યુ ને લઈને નીતિન પટેલે આપ્યુ મહત્વ નું નિવેદન.

Published on: 11:58 am, Tue, 26 January 21

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ વધેલા કોરોના સંક્રમણ ને પગલે રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 1 ફેબ્રુઆરીથી ચાર મહાનગરપાલિકામાં રાત્રી કર્ફ્યુ હટાવી શકે છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે.

ત્યારે તેની ઉપર વિપરીત અસર ન પડે તે માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય છે.જો આ ચાર મહાનગરપાલિકામાં રાત્રી કરફ્યુ હટાવવામાં ન આવે તો આંશિક છૂટછાટ આપવામાં પણ આવી શકે છે.

માસ્ક ના દંડ માં ઘટાડો કરવાની પણ ભલામણ કરવાની ચર્ચા ચાલી રહી છે. સનદી અધિકારી દ્વારા સરકારને આ અંગે ભલામણ કરવામાં આવી છે.દંડ ની 1000 જેટલી રકમની ચૂંટણી દરમિયાન વિપરીત અસર થવાની સંભાવના છે.

આ અંગે સરકારને રિપોર્ટ મળ્યો છે અને તેથી માસ્ક માં દંડ માં સરકાર ઘટાડો કરવાની વિચારણા કરી રહી છે.વડોદરામાં આજરોજ વંદનનો કાર્યક્રમ હતો ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે.

કર્ફ્યુ માટે વિચારણા ચાલી રહી છે. તબક્કાવાર વિચારણા થઈ રહી છે અને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ ચાર મહાનગરોમાં જરૂરિયાત મુજબ છૂટછાટ આપવામાં આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના ચાર શહેરોમાં કરફ્યુ ને લઈને નીતિન પટેલે આપ્યુ મહત્વ નું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*