ધૈર્યરાજની સારવાર માટે રાજ્યની રૂપાણી સરકારે આપ્યા આટલા રૂપિયા, આટલું એકઠું થયું દાન.

Published on: 5:03 pm, Fri, 19 March 21

મહિસાગર જિલ્લાના યુવાનો પોતાનો ખર્ચ ધૈર્યરાજ નું બેનર અને પેટી બનાવી અને જિલ્લાના છ તાલુકાઓ માં તેમજ મહાદેવના મંદિર, બસ સ્ટેશન અને આજુબાજુની દુકાનો માં આ બાળક માટે દાન લેવામાં આવી રહ્યું છે. ગુજરાતના ધૈર્યરાજ ને મદદ મળશે અને જલ્દીથી રોગમુક્ત થઈ જશે.

તેવી આશા સાથે યુવાનો ભંડોળ એકત્ર કરી રહ્યા છે.ગુજરાતના ધારાસભ્ય સરકાર ને ધૈર્યરાજ ની સારવાર માટે મદદ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી તેના પરિણામરૂપે સરકારે આજે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી રૂપિયા 10 લાખ ની સહાય મંજૂર કરી છે.

ત્યારે સમાજના લોકો આ બાળક ની સારવાર માટે ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે. આજની તારીખમાં ધૈર્યરાજ ની સારવાર માટે 10,07,18,251 કરોડની રકમ જમા કરાવવામાં આવી છે.

અને આજે ગુજરાતની જનતાએ ફૂલની પાંખડી ના રૂપ માં દાન આપ્યું છે ત્યારે ધૈર્યરાજ ની જીંદગી બચાવવા માટે હજી પણ 6 કરોડ રૂપિયાની જરૂર છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામે મધ્યમ વર્ગના રાઠોડ પરિવાર ના ધૈર્યરાજસિંહ ને એક ગંભીર મારી થઈ છે ત્યારે આ કરોડરજજુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટ શીટ તરીકે ઓળખાય છે.

આ બીમારીને અંગ્રેજીમાં એસએમએ-1 તરીકે ઓળખાઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ બાળકની સારવાર માટે એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધૈર્યરાજની સારવાર માટે રાજ્યની રૂપાણી સરકારે આપ્યા આટલા રૂપિયા, આટલું એકઠું થયું દાન."

Leave a comment

Your email address will not be published.


*