બદ્રીનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, આટલા કરોડ રૂપિયાનું દાન આપ્યું – દાનની રકમનો આંકડો સાંભળીને તમે પણ…

Published on: 3:06 pm, Fri, 14 October 22

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજર ડાયરેક્ટર મુકેશ અંબાણીને તો તમે બધા ઓળખતા જ હશો. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. તેમનું પરિવાર હંમેશા ચર્ચામાં હોય છે. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી બદ્રીનાથ ભગવાન અને કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મુકેશ અંબાણી ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન બદ્રીનાથની વિશેષ પ્રાર્થના પણ કરી હતી અને દેશની સમૃદ્ધિની કામના કરી હતી. ત્યારબાદ મુકેશ અંબાણી કેદારનાથધામ પહોંચ્યા હતા અને અહીં તેમને પૂજા અર્ચના કરી હતી.

મુકેશ અંબાણી જ્યારે કેદારનાથ પહોંચ્યા ત્યારે મંદિર સમીતીએ તેમનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ભગવાન બદ્રી વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવાથી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટમાં આપવામાં આવી હતી. ત્યારબાદ મુકેશ અંબાણી બદ્રીનાથ મંદિરના મુખ્ય પ્રાંગણમાં પહોંચ્યા હતા.

અહીં મુકેશ અંબાણીએ પોતાની સાદગી બતાવીને એક સામાન્ય ભક્તની જેમ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી ગુરૂવારના રોજ ઉતરાખંડના બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. મુકેશ અંબાણીએ મંદિરમાં પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર ભગવાન બદ્રી વિશાલમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. મુકેશ અંબાણી દર વર્ષે અહીં દર્શન કરવા માટે આવે છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને મુકેશ અંબાણી આંધ્રપ્રદેશમાં આવેલા તિરૂપતિ મંદિરના દર્શન કરવા માટે ગયા હતા.

મુકેશ અંબાણીએ અહીં ભગવાન વેંકટેશ્વરાના દર્શન કર્યા હતા અને અહીં મંદિરમાં 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. મુકેશ અંબાણીએ બદ્રીનાથ મંદિરમાં કરેલા દાનની ચર્ચાઓ હાલમાં ચારેય બાજુ ચાલી રહી છે. તેમણે બદ્રીનાથ મંદિરમાં પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. દર વર્ષે મુકેશ અંબાણી અહીં દર્શન કરવા માટે આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બદ્રીનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, આટલા કરોડ રૂપિયાનું દાન આપ્યું – દાનની રકમનો આંકડો સાંભળીને તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*