ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 લોકોના જીવ ચુંદાઈ ગયા…વાન ચાલકને અચાનક જ ઊંઘ આવતા…

Published on: 11:42 am, Thu, 2 March 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં હાઇવે પર ઉભેલા કન્ટેનર સાથે વાન અથડાતા ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં વાનમાં સવાર ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત થયા છે. ગંભીર અકસ્માત ની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ જયપુર-કોટા હાઇવે ઉપર બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાલુ વાન પર વાન ચાલક અચાનક જ ઊંઘી ગયો હતો. જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

ત્યારબાદ ત્યારથી પસાર થતા લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. વાનમાં ફસાયેલા લોકોને માંડ-માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાન સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં 45 વર્ષીય મનીષ શર્મા, તેની 40 વર્ષીય પત્ની ઈશુ શર્મા, 26 વર્ષીય ડ્રાઇવર રવિ અને 40 વર્ષીય અમિત શર્મા નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મૃત્યુ પામેલા મનીષ અને અમિત બંને સગા ભાઈઓ હતા. જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બની આબાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ઘટના સ્થળે મોત થયા હતા.

ત્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. વિગતવાર વાત કરીએ તો વાનમાં સવાર તમામ લોકો ખાટુ શ્યામજીના દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે વાનની અંદર સાત લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

પરિવારના સભ્યો 28 ફેબ્રુઆરીના રોજ સાંજે 07:00 વાગ્યાની આસપાસ ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા. રાત્રે બાર વાગ્યાની આસપાસ તેઓ ખાટુ શ્યામજી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ ત્યાં દર્શને કર્યા હતા અને રાત હોવાના કારણે બીજા દિવસે સવારે ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 લોકોના જીવ ચુંદાઈ ગયા…વાન ચાલકને અચાનક જ ઊંઘ આવતા…"

Leave a comment

Your email address will not be published.


*