અમદાવાદમાં રખડતા ઢોરના કારણે વૃદ્ધ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો, હનુમાનજીના મંદિર પાસે ચાલતા ચાલતા જતા હતા ત્યારે અચાનક જ…પરિવાર ઉપર આભ તૂટી પડ્યું…

Published on: 12:04 pm, Wed, 22 February 23

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે. અમદાવાદમાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધ મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર પૂર્વ વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલા હાટકેશ્વર ચાર રસ્તાથી ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન જોગેશ્વરી રોડ ઉપર આવેલ લવકુશ બંગલાની આગળના રોડ પર આવેલા હનુમાનજીના મંદિર ની પાસે પાછળથી દોડીને આવતી એક ગાય વૃદ્ધ મહિલાને અડફેટેમાં લીધા હતા.

ગાય વૃદ્ધ મહિલાને ઉછાળીને જમીન પર પટકી હતી. આ કારણોસર વૃદ્ધ મહિલા ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.

મૃત્યુ પામેલા માજીનું નામ રીવાબેન ગાંડાભાઈ વાઘેલા હતું અને તેમની ઉંમર 72 વર્ષની હતી. ગત 12 ફેબ્રુઆરીના રોજ રિવાબેન બપોરના સમયે હાટકેશ્વરથી ચાર રસ્તાથી ચાલતા ચાલતા પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન જોગેશ્વર રોડ ઉપર આવેલા લવકુશ બંગલા આગળના રોડ હનુમાનજી મંદિર પાસે તેઓ ચાલતા ચાલતા જતા હતા. ત્યારે પાછળથી દોડીને આવેલી એક ગાયે રીવાબેનને અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેઓ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 બોલાવીને વૃદ્ધ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. અહીં ડોક્ટરે જણાવ્યું કે, રોજ મહિલાના માથાના ભાગે મુઢ ઈજા પહોંચી છે અને હેમરેજ પણ થઈ ગયું છે.

જેના કારણે તેઓ કોમામાં જતા રહ્યા છે. તેઓ બેભાન હાલતમાં છે પરંતુ કશું બોલી શકતા નથી. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને પરિવારના સભ્યોએ રખડતા ગાયની માલિકની શોધખોળ કરી લીધી હતી. સમગ્ર ઘટનાને લઈને મહિલાના પરિવારે પોલીસને લેખિતમાં અરજી આપી છે. જ્યારે ગઈકાલે 21 ફેબ્રુઆરીના રોજ ફરજ પરના ડોક્ટરે રીવાબેનને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગાયના માલિક સામે ફરિયાદ નોંધને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં રખડતા ઢોરના કારણે વૃદ્ધ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો, હનુમાનજીના મંદિર પાસે ચાલતા ચાલતા જતા હતા ત્યારે અચાનક જ…પરિવાર ઉપર આભ તૂટી પડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*