કોરોના ની કહેર વચ્ચે ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર

Published on: 10:23 am, Sat, 8 August 20

ગુજરાતમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે . તેમજ રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો સંખ્યા 15000 ની નજીક પહોંચી ગયા છે. જોકે લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં કોરોના નો રિકવરી રેટ ખૂબ જ ઊંચો છે . રાજ્યમાં કોરોના થી સાજા થવાનો દર 74.21 ટકા છે . એટલું જ નહીં અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોના ના નવા કેસો પણ કંટ્રોલમાં છે.

ગુજરાતમાં હાલ 14905 એક્ટિવ કેસ છે . જેની સામે 50322 લોકોએ કોરોના ને મહાત આપેલ છે . જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના થી 2584 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે . છેલ્લા 24 કલાકમાં 1034 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 27 દર્દીઓના મોત નિપજ્યા છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ રિકવરી રેટમાં સારો એવો ફેરફાર જોતા આગળના સમયમાં રાજ્યની જનતાને રાહત ના સમાચાર મળે તેવું જોવા મળી રહ્યું છે.

Be the first to comment on "કોરોના ની કહેર વચ્ચે ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર"

Leave a comment

Your email address will not be published.


*