RT-PCR ટેસ્ટ ને લઈને નવી માર્ગદર્શિકા થઈ જાહેર, જાણી લેજો.

Published on: 10:12 am, Wed, 5 May 21

ICMR એ RTPCR ટેસ્ટ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ICMR એ રાજ્યોને લેબોરેટરી પર RTPCR ટેસ્ટ નું ભારણ ઘટાડવા સલાહ આપી છે. ICMR એ કહ્યુ કે એકવાર પોઝિટિવ થયેલા દર્દીને RTPCR ટેસ્ટ કરવાની જરૂર નથી.

ઉપરાંત હોસ્પિટલમાંથી રજા આપતી વખતે દર્દી નો પણ RTPCR ટેસ્ટ કરવાની જરૂર નથી. તો ICMR કહ્યુ છે કે, આંતર રાજ્ય પ્રવાસ કરતાં સ્વસ્થ વ્યક્તિના RTPCR ટેસ્ટ પણ કરવાની જરૂર છે.

ICMR ની નવી માર્ગદર્શિકા થી આરટીપીસીઆર ટેસ્ટ કરાવનારનેપરિણામ જલ્દી મળી શકશે જોકે ICMR ની સલાહના કારણે ટેસ્ટિંગ નીચો આવશે પરંતુ સાચો પોઝિટિવિટી રેટ સામે આવશે.

ટેસ્ટ નું ભારણ ઘટાડવા માટે ગુજરાતમાં કેટલીક લેબોરેટરી પાસે NABL નથી તેમને પણ ટેસ્ટ કરવાની મંજૂરી આપવી જોઈએ. NABL લાયસન્સ ન હોય એ લેબોરેટરી ને પણ મંજૂરી અપાય તો શહેરો ઉપર ગામડાના ટેસ્ટિંગનું ભારણ ઘટી શકે તેમ છે.

છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 48,621 કેસ અને 567 લોકોના મોત થયા છે. કેરળમાં 26011 કેસ અને 45 લોકો ના મોત થયા છે.

કર્ણાટક 4443 કેસ અને 285 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીમાં 18043 કેસ અને 448 લોકોના મોત થયા છે. બંગાળમાં 17501 કેસ અને 98 મોત થયા હોવાનું આંકડા સૂચવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "RT-PCR ટેસ્ટ ને લઈને નવી માર્ગદર્શિકા થઈ જાહેર, જાણી લેજો."

Leave a comment

Your email address will not be published.


*