મણીધર બાપુએ જણાવ્યું કે, માં મોગલની આવી રીતે પૂજા કરશો તો, માં મોગલ હંમેશા તમારા પર રાજી રહેશે…

Published on: 4:28 pm, Fri, 19 April 24

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલનો મહિમા અપરંપાર છે. માત્ર માં મોગલનું નામ લેવાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. અત્યાર સુધીમાં માં મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. જો મા મોગલ પર સાચા મનથી આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

મિત્રો શું તમે જાણો છો માં મોગલની સાચી પૂજા કઈ રીતે થાય છે..? ન જાણતા હોય તો જાણી લેજો. માં મોગલના કબરાઉ ધામમાં બિરાજમાન મણીધર બાપુએ વાત કરતાં જણાવ્યું કે, સૌપ્રથમ તમારી કુળની દેવીને માનવ અને પછી માં મોગલને માનજો એટલે માતાજી તમારા બધા કામ પૂરા કરશે.

માં મોગલને યાદ કરશો એટલે માતાજી રાજી છે. મણીધર બાપુએ વધુમાં કહ્યું કે, માં મોગલને ગુગળનો ધૂપ સૌથી પ્રિય છે. તમારે ગૂગાળાના ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરવો અને માં મોગલના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.

માં મોગલ તો અઢારે વર્ણની માં છે. જો કોઈ પણ વ્યક્તિ સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા રાખશે તો માતાજી તેના તમામ દુઃખ દૂર કરશે. મણીધર બાપુએ જણાવ્યું કે માં મોગલ અને દીવો ન કરતા માત્ર તમે આસ્થા રાખીને માતાજીને ગૂગળનો ધૂપ કરશો.

એટલે માં હંમેશા તમારા ઉપર રાજી રહેશે. વધુમાં મણીધર બાપુએ જણાવ્યું કે, માં મોગલને કોઈ પણ પ્રકારનું સોના ચાંદી કે દાન ભેટની જરૂર નથી. માં તો ફક્ત ભાવની ભૂખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મણીધર બાપુએ જણાવ્યું કે, માં મોગલની આવી રીતે પૂજા કરશો તો, માં મોગલ હંમેશા તમારા પર રાજી રહેશે…"

Leave a comment

Your email address will not be published.


*