કૃણાલે પોતાની બહેનને વચન આપ્યું હતું કે, “હું રક્ષાબંધનમાં આવીશ…” પરંતુ રક્ષાબંધન આવે તે પહેલા ભાઈ દુનિયા છોડીને ચાલ્યો ગયો…

Published on: 12:47 pm, Sat, 22 July 23

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. ઘણા અકસ્માત તો એવા હોય છે કે આપણને પણ ધ્રુજાવી દે છે. આવો જ એક અકસ્માત અમદાવાદમાંથી સામે આવ્યો છે જેને આખા દેશને ધ્રુજાવી દીધા છે. બુધવાર ની રાતે ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નવ લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં બોટાદના યુવાનોના મોત થતા પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે.

 કુણાલના બેન વૈશાલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જયારે મારો વહાલો આવતો ત્યારે મને હગ કરીને મળતો હતો. તે કહેતો હતો કે, તારી આંખમાં ક્યારે આંસુ નહીં આવા દઉં. મને રડાવીને જતો રહ્યો. તેણે મને કીધું હતું કે, રક્ષાબંધન ઉપર તને મળવા આવીશ. મારી રક્ષાબંધન ક્યાં ગઈ? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કોઇ પરિવાર સાથે આવું ન થાય. પરંતુ હવે તેનો ભાઈ તેમની વચ્ચે રહ્યો નથી. જેનું હંમેશા માટે દુઃખ રહેશે. વૈશાલીએ કહ્યું કે, તેનો જન્મ દિવસ ગયો ત્યારે મેં તેને કીધું કે હું રક્ષાબંધન ઉપર તારી ગિફ્ટ આપીશ.

આ અકસ્માતમાં કૃણાલ કોડિયા નામના યુવાનનું મોત થતા પરિવારમાં ભારે આઘાત લાગ્યો છે. કૃણાલ કોડિયાની તેની બહેન સાથે વાત થઈ હતી ત્યારે બહેનને કહ્યું હતું કે રક્ષાબંધન ઉપર આવીશ. મધરાતે સર્જાયેલા નાના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા.

 આ અકસ્માતમાં બોટાદ શહેરના ત્રણ યુવાનોના પણ મોત નિપજ્યા છે. જેમાં કુણાલ કોડીયા જે અમદાવાદ ખાતે અભ્યાસ માટે ત્યાં ગયો હતો અને પીજીમાં રહેતો હતો. અકસ્માતની રાતે કુણાલ પણ ઇસ્કોન બ્રિજ ઉપર હતો અને તેનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આજે કુણાલનું બેસણું રાખવામાં આવ્યું હતું. બેસણામાં મોટી સંખ્યામાં પરિવારજનો સહિત સગાસંબંધીઓ આવ્યા હતા. બેસણામાં સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને હૈયા ફાટ રુદન થઈ રહ્યું હતું.

જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બોટાદ શહેરના ત્રણ યુવાનોના પણ મોત નીપજ્યા છે, જેમાં કૃણાલ કોડિયા જે અમદાવાદ ખાતે અભ્યાસ માટે ત્યાં ગયો હતો અને પીજીમાં રહેતો હતો.

 મધરાતે સર્જાયેલા નાના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.

અકસ્માત ની રાતે કૃણાલ પણ ઇસ્કોન બ્રિજ ઉપર હતો અને તેનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આજે કૃણાલનું બેસણું રાખવામાં આવ્યું હતું, બેસણામાં મોટી સંખ્યામાં પરિવારજનો સહિત સગા સંબંધીઓ આવ્યા હતા. બેસણામાં સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા અને હૈયાફાટ રૂદન થઈ રહ્યું હતું. કૃણાલના બેન વૈશાલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે મારો વ્હાલો આવ્યો ત્યારે મને હગ કરીને મળ્યો હતો. તે કહેતો હતો કે તારી આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં, મને રડાવીને જતો રહ્યો.

 પ્રકાશ સોલંકી, બોટાદ: બુધવારની રાત્રે ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. આ અકસ્માતમાં બોટાદના યુવાનોના મોત થતાં પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે, ત્યારે કુણાલ કોડિયા નામના યુવાનનું મોત થતાં પરિવાર આઘાતમાં છે. કુણાલ કોડિયાની તેની બહેન સાથે વાત થઇ હતી ત્યારે બહેનને કહ્યું હતું કે, રક્ષાબંધન ઉપર આવીશ.

તેણે મને કીધું હતું કે રક્ષાબંધન ઉપર તને મળવા આવીશ, મારી રક્ષાબંધન ક્યાં ગઈ ? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ જેથી કોઈ પરિવાર સાથે આવું ન થાય. પરંતુ હવે તેનો ભાઈ તેમની વચ્ચે રહ્યો નથી, જેનો હંમેશા માટે દુઃખ રહેશે. વૈશાલી એ કહ્યું કે તેમનો જન્મદિવસ ગયો ત્યારે મેં તેને કીધું હતું કે હું રક્ષાબંધન ઉપર તારી ગિફ્ટ આપીશ. તથ્ય પટેલની કારની ગતિ 160 કિલોમીટર પ્રતિ કલાકની હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ત્યારે હવે તેનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં અકસ્માત બાદ તે સ્વીકારી રહ્યો છે કે તેની કાર કેટલી ગતિથી જઈ રહી હતી. તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર બુધવારની મોડી રાત્રે રસ્તા પર લોકોના ટોળા પર કાર ફેરવી દીધી હતી. આ ઘટનામાં કુલ નવ લોકોના મોત થઈ ગયા હતા, પોલીસે તથ્યની તથા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કૃણાલે પોતાની બહેનને વચન આપ્યું હતું કે, “હું રક્ષાબંધનમાં આવીશ…” પરંતુ રક્ષાબંધન આવે તે પહેલા ભાઈ દુનિયા છોડીને ચાલ્યો ગયો…"

Leave a comment

Your email address will not be published.


*